મુંબઈના મીરા રોડ બાદ હવે મોહમ્મદ અલી રોડ પર BMCનું બુલડોઝર ફર્યું, 40 જેટલા બાંધકામો ધ્વસ્ત


  • Published By :
  • Published Date : 2024-01-25 16:10:56

મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. થાણે જિલ્લાના હૈડેયરી ચોકમાં 15 ગેરકાનુની નિર્માણો પર એક્શન બાદ હવે મીરા ભયંદર નગર નિગમે મુંબઈમાં પણ કાર્યવાહી શરૂ કરી છે. BMCની આ કાર્યવાહી કોઈ પણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યા વિના જ મુંબઈના મોહમ્મદ અલી રોડ વિસ્તારમાં કરવામાં આવી છે. BMC એક અધિકારીએ કહ્યું જ્યાં કાર્યવાહી કરવામાં આવી છે તે સ્ટોલ હંગામી અને ગેરકાનુની બાંધકામ છે તથા અમે  તેને કોઈ નોટિસ આપી નહોંતી અને બુધવારે સીધી કાર્યવાહી કરી છે. 


શા માટે થઈ બુલડોઝર કાર્યવાહી?


નગર નિગમના અધિકારીઓએ કહ્યું કે ધ્વસ્ત કરવામાં આવેલું બાંધકામ ગેરકાનુની હતું. ફુટપાથ પર જગ્યા ખાલી કરાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. બિએમસીએ ગેરકાનુની સ્ટોલ તોડી નાખ્યા છે. આ સ્ટોલ્સના કારણે પગપાળા ચાલતા લોકોને મુશ્કેલી થતી હતી. ત્યાર બાદ અમે બુધવારે સવારે કાર્યવાહી કરી અને મોહમ્મદ અલી રોડ પર ફુટપાથ પર અવરોધ કરનારા લગભગ 40 જેટલા બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યા છે. 


 21 જાન્યુઆરીએ થયું હતું ઘર્ષણ


રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ 21 જાન્યુઆરીના રોજ એક રેલી દરમિયાન મીરા ભયંદર વિસ્તારમાં બંને સમુદાયો વચ્ચે અથડામણ થઈ ગઈ હતી. એક સમુદાયના લોકો શોભાયાત્રા કાઢી રહ્યા હતા તે દરમિયાન  બીજા સમુદાયના લોકો સાથે ઘર્ષણ થયું અને હિંસા ભડકી હતી. બાદમાં આ વિસ્તારોમાં ગેરકાનુની બાંધકામો પર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે