મલેશિયા બાદ હવે ઈરાનમાં પણ ભારતીયો વિઝા વગર પ્રવાસ કરી શકશે, જાણો કેટલા દેશોમાં છે Visa ફ્રી એન્ટ્રી


  • Published By :
  • Published Date : 2023-12-15 15:58:55

વિદેશ પ્રવાસ કરવા ઈચ્છુક ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે, દક્ષિણ પૂર્વી એશિયાના દેશ મલેશિયા અને થાઈલેન્ડ બાદ હવે ઈરાને પણ ભારીતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી દીધી છે. ઈરાને પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે ભારત સહિત 33 નવા દેશોના પ્રવાસીઓ માટે વીઝાની અનિવાર્યતા રદ્દ  કરી દીધી છે. હવે ભારતીય નાગરિકોએ ઈરાન જવા માટે વીઝા લેવાની જરૂર પડશે નહીં. ઉલ્લેખનિય છે અત્યાર સુધી વિશ્વના 57 દેશોએ ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રીની સુવિધા આપી છે.


આ દેશોમાં ભારતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રી


ફિઝી, માર્શલ આઈલેન્ડ, માઈક્રોનીશિયા, નિયૂ, પલાઉ આઈલેન્ડ, સમાઓ, તુવાલૂ, વનુઆટૂ, ઈરાન, જોર્ડન, ઓમાન, કતર, અલ્બાનિયા, સર્વિયા, બારબાડોસ, બ્રિટિશ વર્જિન આઈલેન્ડ, ડોમિનિકા, ગ્રેનેડા, હૈતી, જમૈકા, મોંટેસેરાટ, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેજીયન્સ, ટ્રિનિડાડ એન્ડ ટોબેકો, કંબોડિયા, ઇન્ડોનેશિયા, ભૂટાન, સેંન્ટ લુસિયા, લાઓસ, માલદીવ, મ્યાનમાર, નેપાલ, થાઈલેન્ડ, ટિમોર-લેસ્તે, બોલિવિયા, ગૈબોન, ગિની, બિસાઉ, મડાગાસ્કર, મોરિટાનિયા, મોરેશિયસ, મોઝામ્બિક, રવાન્ડા, સેનેગલ, સેશલ્સ, સિયેરા લિયોન, સોમાલિયા, ટાન્ઝાનિયા, ટોગો, ટ્યૂનીશિયા, ઝિમ્બામ્વે, કેપ વર્ડે આઈલેન્ડ, કોમોરો આઈલેન્ડ, બુરૂંડી, કઝાકિસ્તાન અને અલ સાલ્વાડોર સહિતના દેશોમાં ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રી મળે છે. 


આ દેશમાં જવા માટે વીઝા અનિવાર્ય


વિશ્વના એવા દેશો પણ છે જ્યાં જવા માટે ભારતીયોએ વીઝા અરજી કરવી પડે છે. દુનિયાના આવા 177 દેશ છે જેમાં ચીન, જાપાન, રશિયા, અમેરિકા, યુરોપિયન યુનિયનના દેશો છે જે ભારતીયોને કોઈ પણ પ્રકારની તપાસ વિના કોઈને પણ વીઝા આપતા નથી. આ દેશોના વીઝા મેળવવા માટે ભારતીયોએ ખુબ રાહ જોવી પડે છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે