કિરણ પટેલ બાદ ઠગની પત્ની વિરુદ્ધ કરાઈ કાર્યવાહી, જાણો કોની સાથે ઠગે કરી હતી છેતરપિંડી અને કોણે કરી માલિની પટેલની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-28 12:36:12

નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ બાદ કિરણની પત્ની માલિની પટેલની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલના પત્નીની ધરપકડ નડિયાદથી કરી લીધી છે. મકાન પચાવી પાડવાના કેસમાં માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર માલિની પટેલ સામે 35 લાખની ઠગાઈનો ગુનો નોંધાયો છે.



નડિયાદથી માલિની પટેલની થઈ ધરપકડ 

થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીર પોલીસે નકલી પીએમઓ બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ કરી લીધી છે. જે બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. કિરણ પટેલના કારનામા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. કિરણ પટેલનો મામલો હજી શાંત નથી થયો ત્યાં તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરી લીધી છે. ઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરૂદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી.   


ઠગે પૂર્વમંત્રીના ભાઈનું ઘર પચાવી પાડ્યું?   

સમગ્ર મામલાની વાત કરીએ તો પૂર્વમંત્રીના ભાઈના બંગ્લામાં રિનોવેશના નામે 35 લાખ પડાવ્યા હતા જેને લઈ કિરણ પટેલ અને તેની પત્ની વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. રિનોવેશનના નામે પૂર્વમંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના બંગલોને પચાવી લીધી હતી. જેને પગલે કિરણ પટેલ અને માલિની પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નડિયાદથી માલિની પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કિરણ પટેલે પોતે સરકારી અધિકારી છે તેવું જણાવ્યું હતું. જગદીશ ચાવડાના બંગલામાં હવન કરાવી ઘરની બહાર પોતાના નામનું બોર્ડ લખી દીધું. જગદીશ ચાવડાએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.