કેજરીવાલ બાદ ક્રાઈમ બ્રાન્ચની આતિશી પર કાર્યવાહી, ટીમ વહેલી સવારે નોટિસ આપવા પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-02-04 12:06:13

અરવિંદ કેજરીવાલના ધારાસભ્યોના હોર્સ-ટ્રેડિંગના પ્રયાસના આરોપની તપાસના સંબંધમાં મુખ્યમંત્રી ઓફિસને નોટિસ પાઠવ્યા પછી, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ હવે નોટિસ આપવા મંત્રી આતિષીના ઘરે પહોંચી હતી. આ દરમિયાન આતિશી ઘરે હાજર મળી ન હતી, ત્યારબાદ ક્રાઈમ બ્રાંચની ટીમ કોઈ સૂચના આપ્યા વિના જ પરત ફરી હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આતિશીના ઓએસડીને નોટિસ આપવામાં આવી શકે છે. આ પહેલા પણ દિલ્હી ક્રાઈમ બ્રાંચની એક ટીમ મંત્રી આતિષીના ઘરે પણ પહોંચી હતી પરંતુ તે ચંદીગઢમાં હોવાનું જાણવા મળ્યું હતું. આતિશીએ તેની કેમ્પ ઓફિસમાં સૂચના આપી કે અધિકારીઓને નોટિસ મળશે. આ પહેલા દિલ્હી પોલીસે સીએમ ઓફિસને નોટિસ પાઠવી હતી અને તેમાં ત્રણ સવાલોના જવાબ માંગ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું છે કે- 1- લાગેલા આરોપોના પુરાવા આપો, 2- સાત ધારાસભ્યોના નામ જણાવો અને 3- તમારી પાસે જે પુરાવા છે તે આપો. જેથી તપાસ થઈ શકે.


આતિશીને નોટિસ કેમ?

ઉલ્લેખનિય છે કે ગયા અઠવાડિયે કેજરીવાલ અને આતિશીએ ભાજપ પર તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે ભાજપે દિલ્હીમાં તેમની સરકારને તોડવા માટે AAPના સાત ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી છે. આ પછી દિલ્હીના મંત્રી આતિશીએ પણ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે બીજેપીએ દિલ્હીમાં 'ઓપરેશન લોટસ 2.0' શરૂ કર્યું છે. આતિશીએ કહ્યું, 'તેણે ગયા વર્ષે AAP ધારાસભ્યોને પૈસાની ઓફર કરીને જીતવા માટે આવો જ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો.'



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે