કેજરીવાલ બાદ ક્રાઈમ બ્રાન્ચની આતિશી પર કાર્યવાહી, ટીમ વહેલી સવારે નોટિસ આપવા પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-02-04 12:06:13

અરવિંદ કેજરીવાલના ધારાસભ્યોના હોર્સ-ટ્રેડિંગના પ્રયાસના આરોપની તપાસના સંબંધમાં મુખ્યમંત્રી ઓફિસને નોટિસ પાઠવ્યા પછી, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ હવે નોટિસ આપવા મંત્રી આતિષીના ઘરે પહોંચી હતી. આ દરમિયાન આતિશી ઘરે હાજર મળી ન હતી, ત્યારબાદ ક્રાઈમ બ્રાંચની ટીમ કોઈ સૂચના આપ્યા વિના જ પરત ફરી હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આતિશીના ઓએસડીને નોટિસ આપવામાં આવી શકે છે. આ પહેલા પણ દિલ્હી ક્રાઈમ બ્રાંચની એક ટીમ મંત્રી આતિષીના ઘરે પણ પહોંચી હતી પરંતુ તે ચંદીગઢમાં હોવાનું જાણવા મળ્યું હતું. આતિશીએ તેની કેમ્પ ઓફિસમાં સૂચના આપી કે અધિકારીઓને નોટિસ મળશે. આ પહેલા દિલ્હી પોલીસે સીએમ ઓફિસને નોટિસ પાઠવી હતી અને તેમાં ત્રણ સવાલોના જવાબ માંગ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું છે કે- 1- લાગેલા આરોપોના પુરાવા આપો, 2- સાત ધારાસભ્યોના નામ જણાવો અને 3- તમારી પાસે જે પુરાવા છે તે આપો. જેથી તપાસ થઈ શકે.


આતિશીને નોટિસ કેમ?

ઉલ્લેખનિય છે કે ગયા અઠવાડિયે કેજરીવાલ અને આતિશીએ ભાજપ પર તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે ભાજપે દિલ્હીમાં તેમની સરકારને તોડવા માટે AAPના સાત ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી છે. આ પછી દિલ્હીના મંત્રી આતિશીએ પણ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે બીજેપીએ દિલ્હીમાં 'ઓપરેશન લોટસ 2.0' શરૂ કર્યું છે. આતિશીએ કહ્યું, 'તેણે ગયા વર્ષે AAP ધારાસભ્યોને પૈસાની ઓફર કરીને જીતવા માટે આવો જ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો.'



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.