Chhotaudepurનાં કવાંટમાં હોળી પછી થાય છે આ ગોળ ફેરિયાનો મેળો!,કેમ આદિવાસી લોકો મેળામાં આવે છે? જુઓ મેળાના વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-28 11:50:41

ભારતને તહેવારોનો, ઉત્સવનો દેશ માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં મેળાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં મેળા યોજાય છે. કહેવાય છે કે મેળા લોકજીવનને ધબકતું રાખે છે. આપણા ગુજરાતમાં પણ મેળાની પરંપરા છે. આદિવાસી લોકોમાં હોળીનું એક અનેરું મહત્વ હોય છે. મેળા દરમિયાન આદિવાસી અલગ અલગ રાજ્યોમાંથી પોતાના ઘરે પોતાના ગામમાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં અલગ અલગ મેળાઓ પણ થાય છે. એવો જ એક સુંદર અને અનોખો મેળો કવાંટમાં થાય છે જેને ગોળ ફેરિયાનો મેળો પણ કહેવાય છે. 

આ ગામમાં ભરાય છે કવાંટ મેળો...  

ગુજરાતી સાહિત્યમાં મેળાને માટે અનેક રચના કરવામાં આવી છે. 'મન મળી ગયું એને મેળામાં  હું તો ગઈ'તી.. આ ગીત હોય કે પછી પન્નાલાલ પટેલના મળેલા જીવ નવલકથા. ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ મેળા થાય છે. કવાંટમાં ભરાતા મેળાને ગોળ ફેરિયાનો મેળો પણ કહેવામાં આવે છે. કવાંટ મેળાની વાત કરીએ તો કવાંટ તાલુકાના રૂમડીયા ગામે હોળીના ત્રીજા દિવસે ગોળ ફેરિયાનો મેળો યોજાય છે. જે મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ આવે છે અને મેળાની મજા માણે છે. 



માંચડા પર બાંધેલા દોરડા પર ચાલવાની છે પરંપરા... 

આ મેળાની બીજી ખાસ વાત એ છે કે માનતા રાખેલા લોકો માંચડા પર ચઢીને ગોળ ફેરિયો ફરીને માનતા પૂરી કરતા હોય છે. અહીંયા માંચડા પર બાંધેલા દોરડા પર માનતા રાખેલ વ્યક્તિ જ ફરી શકે છે અને પોતાની માનતા પૂરી કરે છે. બીજી મહત્વની વાત એ છે કે માંચડા પર ચક્કર ફેરવનાર રાઠવા પણ તેમાંય એક ચોક્કસ જ્ઞાતિના લોકો ફેરવતા હોય છે. અને ચક્કર ફરવા વાળા પણ ચોક્કસ જ્ઞાતિના લોકો જ હોય છે. 



ગામના લોકો માને છે કે મેળો ના ભરાય તો...  

૨૦૦ વર્ષ કરતા વધુ સમયથી ચાલી આવતી પરંપરા છે આમ તો જોવામાં ડર લાગે પણ ખુબ અદ્ભૂત આ મેળો થાય છે અને આદિવાસી પરંપરાની ઝાંખી પણ આ મેળામાં દેખાય છે. એટલું જ નહિ ત્યાં રૂમડીયા ગામમાં ભરાતો મેળો ન ભરાય તો ગામમાં કોઈ મોટી આફત અથવા મોટો સંકટ આવે તેવું સ્થાનિક લોકોનું માનવું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.