લાહોરમાં આપેલા નિવેદન બાદ જાવેદ અખ્તરે કહ્યું કે, ભારત પરત ફર્યો ત્યારે મને લાગ્યું કે હું વર્લ્ડ વોર 3 જીતી ગયો છું


  • Published By :
  • Published Date : 2023-02-25 15:47:46

પાકિસ્તાનમાં આયોજીત એક કાર્યક્રમમાં બોલિવુડના ગીતકાર જાવેદ અખ્તર સામેલ થયા હતા જેમાં તેમણે પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. લાહોરમાં આયોજીત ફૈઝ ફેસ્વિટલમાં સામેલ થયા બાદ 26 નવેમ્બરના રોજ મુંબઈ પર થયેલા આતંકી હુમલાને લઈ પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. પાકિસ્તાન આતંકીઓને આશરો આપી રહ્યું છે તે વાતની નિંદા કરી હતી. ત્યારે ફરી એક વખત જાવેદ અખ્તર ચર્ચામાં આવ્યા છે. પાકિસ્તાનના પ્રવાસ બાદ તેમણે એક ચેનલમાં ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું કે જ્યારે તે પાકિસ્તાનથી પાછા ફર્યા ત્યારે લોકોની પ્રતિક્રિયા એવી હતી કે જાણે તે ત્રીજું વિશ્વયુદ્ધ જીતીને આવ્યા હોય.


લાહોર જઈ 26-11 હુમલાનો કર્યો હતો ઉલ્લેખ  

લાહોરમાં આયોજીત ફેઝ ફેસ્ટિવલથી પાછા આવ્યા બાદ જાવેદ અખ્તર ચર્ચામાં આવ્યા છે. ફેસ્ટિવલમાં મુબંઈમાં થયેલા 26-11 આતંકી હુમલાની નિંદા કરી હતી. હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે આ હુમલો કરનારા લોકો હજુ પણ તમારા દેશમાં આઝાદીથી ફરે છે અને આ ફરિયાદ દરેક ભારતીયના દિલમાં છે પણ આ વાત સાંભળીને તમને ખરાબ ન લાગવું જોઈએ. આ વાત જ્યારે જાવેદ અખ્તર કહી રહ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડી હતી. પરંતુ આ નિવેદન બાદ તેમની ટિકાઓ પણ થવા લાગી હતી. ત્યારે આ નિવેદન બાદ ફરી જાવેદ અખ્તર ચર્ચામાં આવ્યા છે. 

    

ત્રીજું વિશ્વ યુદ્ધ જીતીને આવ્યો છું - જાવેદ અખ્તર 

પાકિસ્તાનના પ્રવાસથી પરત આવ્યા બાદ જાવેદ અખ્તરે એક ખાનગી ન્યુઝ ચેનલમાં હાજરી આપી હતી જેને કારણે ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે. 24 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાકિસ્તાની પ્રવાસની વાત કરતા તેમણે કહ્યું કે કોઈ પણ દેશ ધર્મથી નથી બનતો, પહેલી વાત એ છે કે પાકિસ્તાન દેશ બનવો જોઈએ જ નહીં. પાકિસ્તાનનું બનવુંએ માનવ ઈતિહાસની સૌથી મોટી ભૂલ છે. જો કોઈ પુસ્તક લખવામાં આવે કે માણસે તેના ઈતિહાસમાં એવી 10 ભૂલો શું કરી છે, તો તેમાં પાકિસ્તાન પણ એક હશે. જાવેદ અખ્તરે કહ્યું હતું કે જ્યારે તે પાકિસ્તાનથી પાછા ફર્યા ત્યારે લોકોની પ્રતિક્રિયા એવી હતી કે જાણે તે ત્રીજું વિશ્વયુદ્ધ જીતીને આવ્યા હોય. મને ઘણા કોલ્સ અને મેસેજ આવવા લાગ્યા હતા. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.