ગુજરાત બાદ રાજસ્થાનમાં બિપોરજોયે સર્જી તારાજી! રાજસ્થાનની હોસ્પિટલમાં ભરાયા પાણી,ભરાયેલા પાણી વચ્ચે સારવાર કરાવા લોકો મજબૂર!


  • Published By :
  • Published Date : 2023-06-19 09:23:19

ગુજરાતમાંથી પસાર થઈ બિપોરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. તેજ હવા તેમજ વરસાદને કારણે અનેક જગ્યાઓથી નુકસાનીની તસવીરો સામે આવી છે. અનેક લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે તો અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાની ગંભીર અસર રાજસ્થાનમાં જોવા મળી રહી છે. ત્યાં પણ અનેક જગ્યાઓ પર ધોધરમાર વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાનથી એવા અનેક દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે. ભરાયેલા પાણી વચ્ચે સારવાર કરાવા લોકો મજબૂર બન્યા છે.

  


ગુજરાતમાં પણ બિપોરજોયનો જોવા મળ્યો હતો કહેર!

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું બિપોરજોય વાવાઝોડું દેશના અનેક રાજ્યોમાં તબાહી મચાવી રહ્યું છે. ગુજરાતથી બિપોરજોય પસાર થઈ ગયું. ચક્રવાતને કારણે અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદ પણ વરસ્યો હતો. ગુજરાતમાં પસાર થયેલું વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું હતું. મહત્વનું છે કે આપણાં વાવાઝોડાની ગંભીરતાને જોતા તંત્ર સજ્જ હતું તેમજ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સુરક્ષિત સ્થળ પર લોકોને ખસેડી દેવામાં આવ્યા હતા. વાવાઝોડા દરમિયાન પોલીસ તેમજ એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમે અદ્ભૂત કાર્ય કર્યું હતું. ગુજરાતમાં તો સ્થિતિ સામાન્ય થઈ રહી છે પરંતુ રાજસ્થાનમાં પરિસ્થિતિ વણસી રહી છે.   



હોસ્પિટલમાં ભરાઈ ગયા વરસાદી પાણી!

ગુજરાત જેવી પરિસ્થિતિ રાજસ્થાનમાં જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને કારણે બાડમેર જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાઈ ગયા છે જેને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગે. ત્યારે વાવાઝોડાને કારણે થયેલા વરસાદને કારણે હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા છે. મળતી માહિતી અનુસાર અજમેર શહેરની હોસ્પિટલમાં અંદર પાણી ઘૂસી ગયું હતું. જેને કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.