ધમધમતા શહેર અમદાવાદમાં કરફ્યુ જેવો માહોલ:દિવાળી પછી રસ્તા સૂમસામ જોવા મળ્યા


  • Published By :
  • Published Date : 2022-10-26 09:45:00

ગુજરાતમાં આજે લોકો ઉલ્લાસભેર બેસતા વર્ષની ઉજવણી કરશે. કોરોના મહામારી પછી આ વર્ષે લોકોમાં તહેવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મોટા ભાગના લોકો દિવાળી પછી પોતાના વતન જતા રહ્યા છે, જ્યાં પરિવારના અન્ય સભ્યો સાથે મળીને આગળના તહેવારો ઉજવશે. આ સિવાય અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો પરિવાર અથવા મિત્રો સાથે ફરવા માટે પણ ઉપડી ગયા છે.


નવરાત્રિ હોય કે દિવાળી, બે વર્ષથી લોકોએ તમામ તહેવારો કોરોના મહામારીને કારણે પોતાના ઘરે બેસીને પસાર કર્યા હતા. તહેવારોમાં લોકો એકબીજાના ઘરે જાય, પરિવાર સાથે ફરવા જાય, મિત્રોની મુલાકાત કરે, પરંતુ કોરોના મહામારીને કારણે જાણે તહેવારોની વ્યાખ્યા જ બદલાઈ ગઈ હતી. પરંતુ હવે જ્યારે તમામ નિયંત્રણો હટી ગયા છે ત્યારે આ વર્ષે લોકો હોંશેહોંશે તહેવારની ઉજવણી કરી રહ્યા છે. અમદાવાદના બજારોમાં દિવાળી પહેલા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રસ્તાઓ પર પણ રોનક જોવા મળી રહી હતી. રજાઓનો લાભ લઈને લોકોએ ફરવા જવાના પ્લાન પણ બનાવ્યા છે. મોટાભાગના ફરવાલાયક સ્થળોએ હોટલો ઘણાં સમય પહેલાથી જ બૂક થઈ ગઈ હતી.

Ahmedabad Night Walk (2 Hours Guided Walking Tour) | India

ઉલ્લેખનીય છે કે લોકો ધનતેરસના દિવસે અથવા તો દિવાળીના દિવસે ચોપડા પૂજન કરતા હોય છે. અમદાવાદ શહેરમાં દિવાળીની સાંજથી જ જાણે સન્નાટો છવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. રસ્તા પર ચોક્કસપણે સામાન્ય અવરજવર છે, પરંતુ મોટા પ્રમાણમાં લોકોની ચહલપહલ જણાઈ નથી રહી. કાંકરિયા, લો ગાર્ડન વગેરે સ્થળોએ પણ સામાન્ય ભીડ જ જોવા મળી હતી. તેનું કારણ એ છે કે, મોટી સંખ્યામાં લોકો ચોપડા પૂજન પછી બેસતા વર્ષની ઉજવણી કરવા પોતાના વતન જવા નીકળી ગયા હતા.

Sabarmati Riverfront Ahmedabad: Information, Events and Much More

આપણે સૌ જાણીએ છીએ કે શહેરમાં વસતા મોટાભાગના લોકોના સ્વજનો ગુજરાતના અન્ય સ્થળોએ જેમ કે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાં વસતા હોય છે. આખું વર્ષ પોતાના વ્યસ્ત જીવનથી કંટાળેલા શહેરીજનો વતન જઈને પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાને પ્રાથમિકતા આપતા હોય છે. જેના કારણે અમદાવાદના રસ્તા ભેંકાર બન્યા હતા. આ સિવાય ઘણાં લોકો પરિવાર અથવા મિત્રો સાથે રાજસ્થાન, મુંબઈ, ગોવા વગેરે જેવા ફરવાલાયક સ્થળોએ પહોંચી ગયા છે. આટલુ જ નહીં, ધાર્મિક સ્થળો પણ હાઉસફૂલ થઈ ગયા છે.

Night Curfew relaxation in 8 metros of Gujarat during Diwali -

નોંધનીય છે કે વેપારીઓ ધનતેરસ અથવા દિવાળીના દિવસે ચોપડા પૂજન કરે છે, લક્ષ્મી પૂજા કરે છે અને ત્યારપછી લાભપાંચમ અથવા સાતમ સુધી રજા રાખતા હોય છે. મોટાભાગની દુકાનો સાતમ પછી જ ખુલતી હોય છે. કોરોના મહામારીને કારણે બે વર્ષ સુધી બજારમાં પણ મંદી રહી હતી, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ જતા વેપારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.