ગુજરાતીઓ હવે પહેલાની જેમ ગરબે રમશે... એ હાલો!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:48:34


ગુજરાત અને ગરબા બંને એક બીજાના પૂરક છે તેવું કહેવું અતિશયોક્તિ નથી. ગુજરાત સહિત અન્ય રાજ્યો પણ રાહ જોતા હોય છે તે તહેવાર એટલે કે નવરાત્રિ. ટૂંક સમયમાં નવરાત્રિનો પાવન પર્વ આવી રહ્યો છે. નવરાત્રિ મામલે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે કે હવેથી નવ શક્તિ પીઠ પર ગરબાનું આયોજન કરી શકાશે. 



કોરોનાના કારણે 2 વર્ષથી ગુજરાતીઓ ગરબા રમવા માટે થનગની રહ્યા છે. ગુજરાત સરકારે હવે અંબાજી, બહુચરાજી અને પાવાગઢ સહિતના 9 શક્તિ મંદિર પર ગરબાનું આયોજન કરવા માટે મંજૂરી આપી દીધી છે.


અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ ગરબાનું ભવ્ય આયોજન કરી શકાશે. આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ આવી રહી છે ત્યારે ગુજરાતીઓએ દાંડિયા સાથે ગરબા રમવા માટે તૈયાર છે. કોરોનાના કારણે બંધ ગરબા પર પણ ગુજરાત સરકારે આદેશ કર્યો છે કે સામાન્ય સ્થિતિમાં ગરબાનું આયોજન કરી શકાશે.  




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.