ગુજરાતીઓ હવે પહેલાની જેમ ગરબે રમશે... એ હાલો!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:48:34


ગુજરાત અને ગરબા બંને એક બીજાના પૂરક છે તેવું કહેવું અતિશયોક્તિ નથી. ગુજરાત સહિત અન્ય રાજ્યો પણ રાહ જોતા હોય છે તે તહેવાર એટલે કે નવરાત્રિ. ટૂંક સમયમાં નવરાત્રિનો પાવન પર્વ આવી રહ્યો છે. નવરાત્રિ મામલે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે કે હવેથી નવ શક્તિ પીઠ પર ગરબાનું આયોજન કરી શકાશે. 



કોરોનાના કારણે 2 વર્ષથી ગુજરાતીઓ ગરબા રમવા માટે થનગની રહ્યા છે. ગુજરાત સરકારે હવે અંબાજી, બહુચરાજી અને પાવાગઢ સહિતના 9 શક્તિ મંદિર પર ગરબાનું આયોજન કરવા માટે મંજૂરી આપી દીધી છે.


અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ ગરબાનું ભવ્ય આયોજન કરી શકાશે. આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ આવી રહી છે ત્યારે ગુજરાતીઓએ દાંડિયા સાથે ગરબા રમવા માટે તૈયાર છે. કોરોનાના કારણે બંધ ગરબા પર પણ ગુજરાત સરકારે આદેશ કર્યો છે કે સામાન્ય સ્થિતિમાં ગરબાનું આયોજન કરી શકાશે.  




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.