વિદેશથી આવ્યા બાદ ગુુજરાતમાં વડાપ્રધાન મોદી કરશે ભાજપનો પ્રચાર, જનસભા તેમજ રોડ-શોનું કરાયું આયોજન


  • Published By :
  • Published Date : 2022-11-15 17:06:56

ગુજરાતમાં ભાજપ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની આખી ફોજ મેદાનમાં ઉતારી છે. આ સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, સ્મૃતિ ઈરાની, હેમા માલિની, હેમંત બિસ્વા, યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 

PM Modi kick starts various development works in Vyara, Gujarat |  DeshGujarat

19 નવેમ્બરે ગુજરાત આવશે પીએમ મોદી 

નરેન્દ્ર મોદીને ભાજપના સ્ટાર પ્રચારક માનવામાં આવે છે. અનેક મતદારો ભાજપને નહીં પરંતુ પીએમ મોદીના ચહેરાને જોઈને મત આપે છે. ત્યારે મતદારોને આકર્ષવા વડાપ્રધાન મોદી 19 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસે આવી ચૂંટણી સભાઓને ગજવવાના છે. દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં તેઓ જનસભા સંબોધવાના છે. ઉપરાંત વલસાડ, સુરેન્દ્રનગરમાં સભાઓનું આયોજન કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ વિકાસકાર્યોનું  લોકાર્પણ કરશે, સાથે જ 3 સ્થળો પર સંબોધન કરશે | TV9 Gujarati

અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. થોડા સમય પહેલા ભાજપે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. ઉમેદવારોના નામોને લઈ અનેક નેતાઓ નારાજ પણ થયા હતા. અમિત શાહ ભાજપનો પ્રચાર તો કરી રહ્યા છે પરંતુ ડેમજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. અનેક ઉમેદવારોએ તેમની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે ઘોટલોડિયા બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની હાજરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. સ્મૃતિ ઈરાની પણ હાલ ગુજરાતના પ્રવાસે છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.