ચૌધરી અને પાટીદાર સમાજ બાદ ક્ષત્રિય Thakor સમાજના લોકોએ બનાવ્યું પોતાનું બંધારણ, જાણો કુપ્રથા દૂર કરવા શું લેવાયા નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-08-28 13:02:19

જેમ દેશનું બંધારણ હોય છે તેમ અનેક સમાજો પણ પોતાના બંધારણને ઘડી રહ્યા છે. થોડા સમયથી આવી પહેલ શરૂ થઈ છે કે સમાજ પોતાના બંધારણની રચના કરી રહ્યો છે. ચૌધરી સમાજ અને પાટીદાર સમાજના બંધારણ બનાવાની ઘટના બાદ અનેક સમાજો આ દિશામાં આગળ વધી રહ્યા છે. મોટા ભાગના સમાજ કંઈકને કંઈક સમાજ સુધારાના આશયથી પોતાના સમાજનું બંધારણ બનાવી રહ્યા છે. હવે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે.  

 મહેસાણામાં ક્ષત્રિય ઠાકોર સમાજની પહેલ: લગ્ન પ્રસંગે થતા બીજા પ્રસંગોમાં ડી.જે વગાડવાનું બંધ કરવામાં આવે છે. પરંતુ ઘરે લગ્ન સ્થળે થતાં ગામના મંદિરે ધાર્મિક પસંગે અને નવરાત્રિ ટાણે સાઉન્ડ વગાડી શકાશે.

કુરિવાજોને નાથવા ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યું બંધારણ

મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારોમાં ક્ષત્રિય સમાજના લોકો વસે છે. વડનગર આસપાસ લગભગ 80 ગામ એવા છે જ્યા ક્ષત્રિય ઠાકોર બાહુલ્યવાળા છે. ઉત્તર ગુજરાતના સમાજોમાં દારૂ અને ગાંજો જેવી સમસ્યાઓ છે તેને કારણે સમાજ આગળ નથી વધી શકતો. પરંતુ ધીરે ધીરે આવી સમસ્યાથી આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી સમસ્યાને અને કુરિવાજોને બંધ કરવા ક્ષત્રિય ઠાકોર સમાજના નેતા અને વડીલો ભેગા થયા હતા અને પોતાનું નવું બંધારણ બનાવ્યું હતું. 

લગ્ન પ્રસંગમાં નહીં વગાડાય ડીજે 

તેમના બંધારણની મુખ્ય બાબતો વિશે જાણીએ તો લગ્ન પ્રસંગે કે બીજા કોઈ પ્રસંગે ડીજે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે મંદિરના ધાર્મિક પ્રસંગમાં અને નવરાત્રીમાં ડીજે વગાડવાની મનાઈ નથી કરવામાં આવી. લગ્નમાં વરઘોડાની પ્રથા પણ બંધ કરી છે. ઓઢણી જેવા પ્રસંગમાં હવે માત્ર સ્ત્રીઓ જ જઈ શકશે. ઓઢણીના પ્રસંગમાં પુરુષો હવે નહીં જઈ શકે. મરણ પ્રસંગમાં સોળ લાવવાના બદલે રોકડા રૂપિયા આપી દેવાના રહેશે. અને કુટુંબના બધા લોકો હવે સોળ નહીં લઈ જઈ શકે કુટુંબનો મુખ્ય વ્યક્તિ જ સોળ લઈ જઈ શકશે. 


પહેરામણીની પ્રથા કરાઈ બંધ 

ઘરધણી સિવાય બાકીના લોકોએ રોકડા રૂપિયાનો વહેવાર કરવો પડશે. મરણ થઈ જાય ત્યારે માથે સાડી નાખવાની પ્રથા બંધ કરવામાં આવી છે. ખાલી ઘરધણી જ માથે સાડી નાખી શકશે. ઘરધણી સિવાયના લોકો રોકડા રૂપિયાનો વહેવાર કરશે. અમુક સમાજમાં હજુ પણ પ્રથા છે કે લગ્ન પ્રસંગમાં પહેરામણી કરવી ફરજિયાત હોય છે, ક્ષત્રિય ઠાકોર સમાજમાં પણ આ પ્રથા હતી પરંતુ હવે આ પ્રથાને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છતાંય જો ઓઢામણી કરવી હોય તો રોકડા રૂપિયા આપીને કરવાની રહેશે. સૌથી મહત્વની અને સૌથી સુંદર વાત લગભગ આ હશે કે સામાજિક પ્રસંગોમાં જુગાર રમવામાં આવે છે તેના પર પ્રતિબંધ લગાવામાં આવશે, 


ક્ષત્રિય ઠાકોર સમાજમાં પહેલા હતી દારૂ પીવાની પ્રથા 

પહેલા ઠાકોર સમાજમાં દારૂ પીવાની બહુ આદત હતી જોકે સમાજ પોતે જાગૃત થયો અને પાછલા દાયકાઓમાં દારૂ પીવાનું બહુ ઘટ્યું છે. શિક્ષણ આવે છે એટલે સમાજમાં પણ સુધારા થાય છે. તમામ સમાજે સારપ માટે અને સમાજના કલ્યાણ માટે સારા નિર્ણયો લેવા જોઈએ અને કુ પ્રથાઓને સમાજમાંથી દૂર કરવી જોઈએ.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!