ભાજપ બાદ કોંગ્રેસ આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો!કોંગ્રેસ શું આપશે મતદારોને વચનો? જાણો ભાજપે શું આપ્યા છે વચનો?


  • Published By :
  • Published Date : 2023-05-02 09:36:38

કર્ણાટકમાં ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગઈકાલે ભાજપ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આજે કોંગ્રેસ પણ ઘોષણા પત્ર જાહેર કરવાની છે. ભાજપે અનેક વાયદાઓ કર્યા છે પોતાના ચૂંટણી ઢંઢેરામાં. કર્ણાટકમાં અનેક નેતાઓએ પ્રચાર કરી રહ્યા છે. 


કોંગ્રેસ ઘોષણા પત્ર કરશે જાહેર!     

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. કર્ણાટકમાં થોડા દિવસો બાદ મતદાન થવાનું છે. ત્યારે મતદારોને રિઝવવા માટે દરેક રાજકીય પાર્ટી પ્રયાસ કરી રહી છે. જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ પ્રચાર કરવા માટે દિગ્ગજ નેતાઓ કર્ણાટકના પ્રવાસે જઈ રહ્યા છે. ભાજપ દ્વારા ગઈ કાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આજે કોંગ્રેસ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં આવવાનો છે. 


દિગ્ગજ નેતાઓ કર્ણાટકમાં કરી રહ્યા છે પ્રચાર! 

ભાજપ માટે પ્રચાર કરવા વડાપ્રધાન પોતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન અનેક રેલીઓ તેમજ જનસભા સંબોધવાના છે. તે સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા પણ પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે પ્રચાર કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં  આવશે તે દરમિયાન પ્રિયંકા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે હાજર રહી શકે છે. 


ભાજપ દ્વારા કરવામાં આવ્યા અનેક વાયદા!

મતદારોને રિઝવવા માટે ભાજપે કર્ણાટકમાં 10 લાખ નોકરી આપવાનો વાયદો કર્યો છે. તે સિવાય બીપીએલ પરિવારને ત્રણ ગેસ સિલિન્ડર મફત આપવાની વાત કરી છે. તેમજ નગર નિગમના દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર ખોલવાનું વચન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. તે ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોર્ડને લઈ પણ  જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી હતી. તે સિવાય ખેડૂતો માટે પણ જાહેરાત કરવામાં  આવી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ મતદારોને શું વાયદાઓ કરે છે?      




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!