ભાજપ બાદ કોંગ્રેસ આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો!કોંગ્રેસ શું આપશે મતદારોને વચનો? જાણો ભાજપે શું આપ્યા છે વચનો?


  • Published By :
  • Published Date : 2023-05-02 09:36:38

કર્ણાટકમાં ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગઈકાલે ભાજપ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આજે કોંગ્રેસ પણ ઘોષણા પત્ર જાહેર કરવાની છે. ભાજપે અનેક વાયદાઓ કર્યા છે પોતાના ચૂંટણી ઢંઢેરામાં. કર્ણાટકમાં અનેક નેતાઓએ પ્રચાર કરી રહ્યા છે. 


કોંગ્રેસ ઘોષણા પત્ર કરશે જાહેર!     

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. કર્ણાટકમાં થોડા દિવસો બાદ મતદાન થવાનું છે. ત્યારે મતદારોને રિઝવવા માટે દરેક રાજકીય પાર્ટી પ્રયાસ કરી રહી છે. જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ પ્રચાર કરવા માટે દિગ્ગજ નેતાઓ કર્ણાટકના પ્રવાસે જઈ રહ્યા છે. ભાજપ દ્વારા ગઈ કાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આજે કોંગ્રેસ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં આવવાનો છે. 


દિગ્ગજ નેતાઓ કર્ણાટકમાં કરી રહ્યા છે પ્રચાર! 

ભાજપ માટે પ્રચાર કરવા વડાપ્રધાન પોતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન અનેક રેલીઓ તેમજ જનસભા સંબોધવાના છે. તે સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા પણ પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે પ્રચાર કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં  આવશે તે દરમિયાન પ્રિયંકા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે હાજર રહી શકે છે. 


ભાજપ દ્વારા કરવામાં આવ્યા અનેક વાયદા!

મતદારોને રિઝવવા માટે ભાજપે કર્ણાટકમાં 10 લાખ નોકરી આપવાનો વાયદો કર્યો છે. તે સિવાય બીપીએલ પરિવારને ત્રણ ગેસ સિલિન્ડર મફત આપવાની વાત કરી છે. તેમજ નગર નિગમના દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર ખોલવાનું વચન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. તે ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોર્ડને લઈ પણ  જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી હતી. તે સિવાય ખેડૂતો માટે પણ જાહેરાત કરવામાં  આવી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ મતદારોને શું વાયદાઓ કરે છે?      




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.