ભાજપ બાદ કોંગ્રેસે પણ ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી કામ કરનાર નેતાઓને કર્યા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-01-14 08:54:58

ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. 182 સીટોમાંથી ભાજપે 156 સીટો પર જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસે માત્ર 17 સીટો મેળવી હતી. કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને પગલે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત જૂનાગઢની માંગરોળ બેઠક પર બાબુભાઈ વાજાને હરાવવા પ્રયત્ન કરનાર બે નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


કોંગ્રેસે કરી છે સત્ય શોધક કમિટીની રચના 

ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. પહેલી અને પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું જ્યારે આઠમી ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યું હતું. ભાજપે ફરી એક વખત ગુજરાતમાં સત્તા સંભાળી છે. ત્યારે કોંગ્રેસને માત્ર 17 સીટોથી જ સંતોષ માનવો પડ્યો હતો. આ વખતનું કોંગ્રેસનું પ્રદર્શન એકદમ ખરાબ માનવામાં આવે છે. ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રસે સત્ય શોધક કમિટીની રચના કરી છે જે ગુજરાતમાં હારનું કારણ શોધશે અને રિપોર્ટ હાઈ કમાન્ડને સોંપશે.


માંગરોળ બેઠક પર બાબુભાઈ વાજાનો થયો પરાજ્ય

કોંગ્રેસને આ વખતની ચૂંટણીમાં ઓછી સીટથી સંતોષ માનવો પડ્યો હતો. કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી છે. ચૂંટણી સમયે પાર્ટીને નુકસાન પહોંચનાર નેતાઓ સામે પગલા લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢના માંગરોળ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વાજાની જીત લગભગ નક્કી હતી. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 


પક્ષવિરોધી કામ કરનાર નેતા સામે કરાઈ કાર્યવાહી 

કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને હરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેને કારણે પાર્ટીએ નેતાઓ વિરૂદ્ધ પગલા લેવાનું શરૂ કર્યું છે. પાર્ટીએ ખુમાણભાઈ અને તેમના પુત્ર રણજીતભાઈ પરમારને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. બાબુભાઈની હાર બાદ જ્યારે કોંગ્રેસે તપાસ કરી તે વખતે જણવા મળ્યું કે જાણી જોઈને બાબુભાઈને હરાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉપરાંત આવનાર સમયમાં અનેક નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!