ભાજપ,કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ કરશે પક્ષવિરુદ્ધ કામ કરનાર સામે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-16 14:15:14

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. જે અંતર્ગત ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરીનું પદ આપવામાં આવ્યું છે. ત્યારે પદભાર સંભાળતા જ ઈસુદાન ગઢવી એક્શન મોડમાં આવી ગયા છે. પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે ચૂંટણીમાં પક્ષવિરોધી કામ કરનાર વિરૂદ્ધ પગલા લેવામાં આવશે.


ઈસુદાન ગઢવીએ સંભાળ્યું પદ 

ગત મહિને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી હતી. પરંતુ આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચૂંટણી બાદ ફેરફાર કરવામાં આવ્યા હતા. જે પદ પહેલા ગોપાલ ઈટાલિયા સંભાળતા હતા તે હવેથી ઈસુદાન ગઢવી સંભાળશે. ઈસુદાન ગઢવીએ પોતાનું પદ સંભાળી લીધું છે. પદ સંભાળ્યા બાદ એક્શન મોડમાં દેખાયા હતા અને પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મહત્વપૂર્ણ નિવેદન આપ્યા હતા.


પક્ષવિરૂદ્ધ કામ કરનાર સામે લેવાશે પગલા 

ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી કામ કરનાર વિરૂદ્ધ દંડાત્મક પગલા લીધા છે. જે અંતર્ગત અનેક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ દિશામાં આમ આદમી પાર્ટી પણ ચાલવા જઈ રહી છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે ચૂંટણીમાં પક્ષવિરૂધ કામ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે લોકો નિષ્ક્રિય રહ્યા છે તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.