બિપોરજોય બાદ કચ્છને ફરી બેઠું કરવા તંત્રની મદદે આવ્યા લોકો, ખભાથી ખભા મિલાવી લોકોએ બતાવી ખમીરવંતી, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-27 09:30:31

સાથી હાથ બઢાના.. એક અકેલા થક જાયેગા મિલ કર બોજ ઉઠાના... ઘણા વર્ષો પહેલા આવેલું આ ગીત આજે પણ આપણને ઘણું બધું સમજાવી જાય છે. જો લોકો એકતા સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરે તો અસંભવ લાગતું કામ પણ આસાનીથી પાર પડી જાય. ત્યારે ટીમ વર્ક કોને કહેવાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કચ્છથી સામે આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે કચ્છમાં ભારે નુકસાન થયું હતું. કચ્છ જલ્દીથી બેઠું થાય તે માટે તંત્ર દ્વારા તો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ ત્યાંના લોકો પણ એટલા જ ખમીરવંતા છે. વાવાઝોડા દરમિયાન જે વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા તેને ઉઠાવવામાં લોકો મદદ કરી રહ્યા છે.   

કચ્છને ફરી બેઠું કરવા તંત્રની મદદે આવ્યા લોકો 

થોડા દિવસો પહેલા ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યું હતું. દરિયાકાંઠા વિસ્તારોને હાઈ એલર્ટ પર મૂકી દેવાયા હતા. વાવાઝોડાને કારણે અનેક વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા. વાવાઝોડાએ તબાહી સર્જી હતી. બિપોરજોયની અસરમાંથી ધીરે ધીરે જિલ્લાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે કચ્છની કાયા બદલવા માટે તંત્ર તો મહેનત કરી રહ્યું છે પરંતુ કચ્છના લોકો પણ ખભેથી ખભા મિલાવીને કામગીરી કરી રહ્યા છે. ગામના યુવાનો તેમજ ઉંમરલાયક લોકો પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપી રહ્યા છે.  


વાવાઝોડાના ટેંશન વચ્ચે પણ પીવડાવી હતી ચા 

જમાવટની ટીમ જ્યારે બિપોરજોયનું કવરેજ કરવા ગઈ હતી ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ કચ્છના લોકોએ પોતાની ખમીરવંતીનું ઉદાહરણ પ્રગટ કર્યું હતું. એક તરફ ઘર જમાવટની ટીમને ચા પીવડાવી હતી. એક તરફ તેજ હવા વહી રહી હતી, તેમનું ઘર રહેશે કે નહીં તેની ચિંતા તેમને સતાવી રહી હતી તો બીજી તરફ પોતાની મહેમાન નવાજીનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. વાવાઝોડાની અસર બાદ તેમનું ઘર રહેશે કે નહીં તેની ચિંતા તો હતી પરંતુ ઘરે આવેલા મહેમાનને ચા પાણી કરાયા વગર કેવી રીતે મોકલાય તેની પણ ચિંતા ત્યાંના લોકોને હતી. ત્યારે આવી જ ખુમારી અને જિંદાદિલીને કારણે ગુજરાતી લોકો અલગ જણાઈ આવે છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.