ભૂપત ભાયાણીના રાજીનામા બાદ Isudan Gadhvi અને Gopal Italiyaએ આપી પ્રતિક્રિયા, ભાજપ પર કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-13 14:58:52

સવારથી વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા અંગે ચર્ચાઓ થઈ રહી છે. આપનો છેડો ફાડી તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે. જ્યારે નેતા રાજકીય પક્ષમાંથી છૂટા થઈ ભાજપ સાથે જોડાવાની વાત કરે છે ત્યારે મનમાં આપણે કહેતા હોઈએ છીએ કે ભાજપમાં જવાથી નેતાઓ પવિત્ર થઈ જાય છે! નેતાના પાપ ધોવાઈ જાય તેવી ચર્ચાઓ  સામાન્ય રીતે થવા લાગે છે. ત્યારે ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આપ ગુજરાતે એક ટ્વિટ કર્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે ભૂપતભાઈના પાપ ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા! તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ રાજીનામાને લઈ ટ્વિટ કર્યું છે. એક મીડિયા ચેનલનો વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં તેમણે કેપ્શન આપ્યું છે કે ભાજપના ઈશારે ભૂપત ભાયાણીએ વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.

 


ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા!

ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે હું વિસાવદરના લોકોની માફી માગું છું. ઉમેદવાર પસંદ કરવામાં અમારી ભૂલ થઈ છે. પરંતુ મને વિશ્વાસ છે કે વિસાવદરના લોકો આવનાર ચૂંટણીમાં ભાજપને જાકારો આપશે. એનો મને પુરો વિશ્વાસ છે. અમારા ધારાસભ્યોએ ઈમાનદારીથી કામ કર્યું છે. ભાજપ આપથી ડરી ગયું છે. ભાજપના નેતાઓને કામ કરવામાં કોઈ રસ નથી. ભાજપ છેલ્લા એક વર્ષથી આપના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. ઈસુદાન ગઢવી ઉપરાંત ગોપાલ ઈટાલિયાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.