જેલ મુક્ત થયા બાદ યુવરાજસિંહે ઉર્જા ભરતી અંગે ટ્વિટ કરતા લખ્યું કે જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો....


  • Published By :
  • Published Date : 2023-07-26 10:37:11

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચાલતા અનેક કૌભાંડ સામે આવી રહ્યા છે. કૌભાંડ સામે આવતા અનેક વખત કાર્યવાહી કરવામાં આવે છે. ઉર્જા કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ 9 લોકોની ધરપકડ કરાઈ છે. મહત્વનું છે કે ઉર્જા કૌભાંડમાં હજી સુધી 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજી તપાસ ચાલી રહી છે. યુવરાજસિંહે ઉર્જા કૌભાંડને લઈ ટ્વિટ કર્યું છે. 

જેલમાંથી બહાર આવ્યા બાદ એક્શન મોડમાં દેખાયા યુવરાજસિંહ 

થોડા સમય પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા સ્પાર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી. પરંતુ ધીમે ધીમે તોડકાંડનો મામલો પણ સામે આવ્યો હતો. યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. યુવરાજસિંહ સહિત તમામ લોકોને શરતી જામીન આપવામાં આવ્યા છે. જેલની બહાર આવ્યા બાદ યુવરાજસિંહ ફરી એક વખત એક્શન મોડમાં દેખાયા છે. ભરતીમાં થતી ગેરરીતિ તેમજ કૌભાંડ અંગે ફરી સવાલો યુવરાજસિંહ ઉઠાવી રહ્યા છે. યુવરાજસિંહે એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું કે જાન્યુઆરી 2021માં જ્યારે ઉર્જા વિભાગની પરીક્ષા ચાલુ હતી ત્યારે જ પ્રેસ કોન્ફરન્સ કરીને આ કૌભાંડને ઉજાગર કર્યું હતું.     


ઉર્જા વિભાગમાં ચાલતા કૌભાંડ અંગે યુવરાજસિંહે કરી ટ્વિટ

યુવરાજસિંહે ટ્વિટ કરી તેમાં લખ્યું કે જે સમયે પરીક્ષા ચાલતી હતી તે સમયે પ્રેસ કોન્ફરન્સ કરી ઉર્જા વિભાગના સિસ્ટમેટીક કૌભાંડ ઉજાગર કરેલ. જે નામો આપેલ હતા એ હવે પકડાય છે. તે સમયે જો એક્શન લીધા હોત તો લિસ્ટ બહું લાંબુ હોત. હજી પણ ઇચ્છાશક્તિ હોય તો  આ ભરતી(જુનિયર આસી. અને જુનિયર એન્જિનિયર) ની CBI દ્વારા તપાસ કરવામાં આવે તો આ ઓનલાઈન_સિસ્ટમેટીક_સ્કેમ માં 300+ એવા લોકો મળશે જે વર્તમાન માં ઊર્જા વિભાગની અલગ અલગ કચેરી માં "ભ્રષ્ટાચાર" થી નોકરી કરતા જોવા મળશે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!