Loksabha Election: ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ 3 ઉમેદવારોએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર. કોંંગ્રેસના તેમજ ભાજપના ઉમેદવારો વચ્ચે જોવા મળી આ સમાનતા!


  • Published By :
  • Published Date : 2024-03-23 12:57:30

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસે અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાંથી એક ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. ત્યારે હવે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી છે. આ નિર્ણય લેવાની વાત પાછળ તેમણે અંગત કારણો જણાવ્યા હતા. 

Congress' Ahmedabad East Lok Sabha candidate Rohan Gupta withdraws from  fray - The Economic Times

રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું 

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસથી ઉથલ પાથલ જોવા મળી રહી છે. કોઈ વખત કોંગ્રેસના ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે તો કોઈ વખત લોકસભા સીટના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચહેરાઓ પીછેહઠ કરી રહ્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરી હતી. અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ કારણ આપ્યું હતું કે તેમની પિતાની તબિત સારી ના હોવાને કારણે તેઓ ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે. આ મામલો ત્યાં શાંત ના થયો, ગઈકાલે રોહન ગુપ્તાએ કોંગ્રેસ પક્ષમાંથી પણ રાજીનામું આપી દીધું છે. જ્યારે રાજીનામું આપ્યું તે બાદ તેમણે અનેક પ્રતિક્રિયા આપી હતી. આત્મસન્માન જાળવવા માટે તેમણે રાજીનામું આપ્યું છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. 

Image

ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર   

ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોએ ઈલેક્શન લડવાની ના પાડી દીધી છે. પીછેહઠ કરનાર એક છે વડોદરાના ઉમેદવાર તેમજ બીજા છે સાબરકાંઠાના ઉમેદવાર. સાંસદ રંજનબેન ભટ્ટે તેમજ ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી છે. રંજનબેન ભટ્ટે જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે તેમણે કહ્યું કે મારે હવે ચૂંટણી લડવી નથી. ઉમેદવારી પરત ખેંચવા મને પક્ષે કહ્યું નથી. હું પક્ષનું કામ કરીશ, બીજા ઉમેદવાર ચૂંટણી લડશે. મારી પ્રજાએ મને ખૂબ પ્રેમ કર્યો છે. મેં જાતે જ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. હું વડોદરાની બદનામી ઈચ્છતી નથી. મેં કોઈ સાથે આ અંગે વાતચીત કરી નથી. મને પાર્ટીએ ત્રીજી વખત ટિકિટ આપી હતી.        

 Image

Image

રંજનબેન ભટ્ટે પ્રતિક્રિયા આપી હતી.. 

મહત્વનું છે કે રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જ્યારથી જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી વડોદરામાં આંતરિક વિવાદ છેડાઈ ગયો છે. જ્યોતિબેન પંડ્યાએ બળવો કર્યો હતો. અને તે બાદ પોસ્ટરો સાંસદના વિરૂદ્ધ લાગ્યા હતા. આજે જ્યારે ઉમેદવારી તેમણે  પાછી ખેંચી ત્યારે તેમણે પણ આત્મસન્માનની વાત કરી હતી. તેમણે કહ્યું કે મારી પણ ઈજ્જત છે ને...!   



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.