અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ બાદ બીએસપીએ નોટ પર આંબેડકરના ફોટાને છાપવાની કરી માગ


  • Published By :
  • Published Date : 2022-10-27 11:25:36

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટો પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો મૂકવાની વાત કરી હતી. જે બાદ રાજનીતિ ગરમાઈ રહી છે. એક બાદ એક નેતાઓ આની પર નિવેદન આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે નોટો પર ખુદાનો ફોટો પણ હોવો જોઈએ તો કોઈએ કહ્યું કે નોટો પર બાબા સાહેબ આંબેડકરની તસવીર હોવી જોઈએ.

નોટ પર બાબા સાહેબ આંબેડકરનો ફોટો રાખવાની કરાઈ માગ

જી હા, નોટો પર બાબા સાહેબ આંબેડકરની તસવીર હોવી જોઈએ તેવી માગ બહુજન સમાજ પાર્ટીએ કરી છે. માયાવતીના ભત્રીજા આકાશ આનંદે ટ્વિટ કરી અને કહ્યું કે હિલ્ટન યંગ કમિશનની સમક્ષ ડો. ભીમરાવ આંબેડકર દ્વારા નિર્ધારિત અને પ્રસ્તૃત દિશાનિર્દેશો અનુસાર એક એપ્રિલ 1935ના રોજ RBIની સ્થાપના થઈ હતી. એટલે જો કરન્સી નોટ પર કોઈનો ફોટો છપાવો જોઈએ તો એ બાબા સાહેબનો ફોટો છે. 

નીતેશ રાણેએ કર્યું ટ્વિટ

વાત માત્ર અહિંયા પૂરતી સિમીત નથી રહી. ત્યારે ભાજપના નેતા નીતેશ રાણેએ એક ફોટો ટ્વિટ કર્યો છે જેમાં નોટ પર શિવાજી મહારાજનો ફોટો લગાવવામાં આવ્યો છે. અને કેપ્શન લખ્યું છે કે ye perfect hein!!!!

શા માટે અરવિંદ કેજરીવાલને આવ્યો આવો વિચાર? 

અરવિંદ કેજરીવાલે આ વાત એવા સમયે કહી છે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં પોસ્ટર દ્વારા અરવિંદ કેજરીવાલને હિંદુ વિરોધી બતાવવાનો પ્રયાસ થયો હતો. એ બધા વચ્ચે અરવિંદ કેજરીવાલના આવા નિવેદનને ગુજરાતની ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. આ નિવેદન આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અર્થતંત્રને સુધારવા ભગવાનના આશીર્વાદ જરૂરી છે. જો નોટ પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો રાખવામાં આવશે તો ભગવાનના આશીર્વાદ મળશે અને ભારતનું અર્થતંત્ર સુધરી શકે છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.