અરિજીત સિંહનો શો કોલકાત્તામાં રદ્દ થતા ભાજપ અને મમતા બેનર્જીના નેતાઓ વચ્ચે શરૂ થયો શાબ્દિક જંગ


  • Published By :
  • Published Date : 2022-12-29 13:04:16

થોડા દિવસો બાદ ન્યુયર આવી રહ્યું છે. ન્યુયરને ધ્યાનમાં રાખી અનેક જગ્યાઓ પર પાર્ટી તેમજ કોન્સર્ટ રાખવામાં આવે છે. ત્યારે કોલકાતા ખાતે બોલિવુડના ફેમસ સિંગર અરિજીત સિંહનો શો રાખવામાં આવ્યો હતો પરંતુ શોને પરમિશન ન મળતા શોને કેન્સલ કરવામાં આવ્યો છે. શો કેન્સલ થવાને કારણે ભાજપ અને રાજ્યના મંત્રીઓ વચ્ચે તૂંતૂં-મેંમેં શરૂ થઈ ગઈ છે.

jagran


'રંગ દે તૂ મોહે' ગીત ગાતા મમતા સરકારે ન આપી પરવાનગી - ભાજપનો દાવો  

કોલકાત્તાના ઈકો પાર્કમાં ન્યુયર પાર્ટી રાખવામાં આવવાની હતી. આ પાર્ટીમાં બોલિવુડના મશહુર સિંગર અરિજીત સિંહ પરફોમ કરવાના હતા. પરંતુ અરિજીત સિંહના શોને પરવાનગી આપવામાં ન આવી. જેને કારણે ભાજપે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા અમિત માલવીયાએ આરોપ લગાવતા ટ્વિટ કર્યું કે કોલકત્તા ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન મમતા બેનર્જીએ અરિજીત સિંહને પોતાનું મનપસંદ ગીત ગાવવાની ફરમાઈશ કરી હતી. અરિજીતે રંગ દે તૂ મોહે ગીત ગાયુ હતું. ભાજપના નેતાના અનુમાન પ્રમાણે આ કારણથી અરિજીત સિંહનો શો કેન્સલ કરવામાં આવ્યો છે. 


કોલકત્તા મેયરે બતાવ્યું કારણ 

આ શો કેન્સલ શા માટે કરવામાં આવ્યો તેની જાણકારી આપતા મેયરે કહ્યું કે જી-20ના નિર્ધારીત કાર્યક્રમ સાથે આ કાર્યક્રમ ક્લેશ થતો હતો. જેને કારણે આ કાર્યક્રમને પરમિશાન આપવામાં નથી આવી. વધુમાં મેયરે એવું પણ જણાવ્યું કે સલમાન ખાનનો કાર્યક્રમ પણ કેન્સલ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ જ્યાં અરિજીત સિંહનો શો થવાનો હતો તે પાર્ક ક્નવેક્શન હોલની સામે છે. જી-20માં વિદેશથી પણ મહેમાન સામેલ થવાના છે જેને ધ્યાનમાં રાખી પરવાનગી આપવામાં નથી આવી.     




એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.