ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપે કરી ટ્વિટ - ગુજરાતનો ભરોસો ભાજપ પર


  • Published By :
  • Published Date : 2022-11-03 13:51:50

ગુજરાત ચૂંટણી માટેની તારીખો જાહેર થઈ ગઈ છે. જે અનુસાર 2 તબક્કામાં આ મતદાન યોજાવાનું છે. પહેલા તબક્કાનું મતદાન 1લી ડિસેમ્બરના રોજ થવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. જ્યારે મતગણતરિ 8 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપે એક ટ્વિટ કરી હતી, જેમાં પાર્ટીએ લખ્યું હતું કે 8 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કમળ ખીલશે.

 

ભાજપ દ્વારા કરવામાં આવેલો પ્રચાર થશે મદદરૂપ?? 

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ત્યારે આ વખતે પણ ગુજરાતમાં કમળ ખીલે તે માટે ભારતીય જનતા પાર્ટીએ અનેક પ્રયાસો કર્યા છે. પ્રચાર માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ જેવા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓએ ગુજરાતમાં પ્રવાસ કરી ભાજપનો પ્રચાર કર્યો હતો. ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતા ભાજપે 8 ડિસેમ્બરના રોજ તેમની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ત્યારે ખરેખર 8 ડિસેમ્બરે કમળ ખીલશે કે નહિં તે તો મતદારો જ નક્કી કરશે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.