Anant Patel બાદ Parshottam Rupala વિવાદ મામલે Chaitar Vasavaએ આપી પ્રતિક્રિયા, સાંભળો આ મામલે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-11 11:12:56

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદમાં અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે પરષોત્તમ રૂપાલા મામલે હવે ચૈતર વસાવાએ ઝંપલાવ્યું છે. ચૈતર વસાવાએ એક કાર્યક્રમમાં આ મામલે નિવેદન આપ્યું છે. ચૈતર વસાવાએ કહ્યું કે આદિવાસી અને રાજપૂત સમાજનો જૂનો સંબંધ છે. મહત્વનું છે કે આની પહેલા અનંત પટેલની પ્રતિક્રિયા સામે આવી ઉપરાંત ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા પણ સામે આવી હતી..

 


ચૈતર વસાવાએ પરષોત્તમ રૂપાલા વિવાદ મામલે આપી પ્રતિક્રિયા

ગુજરાતની 26 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. અનેક બેઠકો પર ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી ઉઠી છે. તેમની માગ છે કે રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલાના નિવેદન પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે નિવેદન આપતા કહ્યું કે આદિવાસી અને રાજપુત સમાજનો જૂનો સંબંધ છે. 

ક્ષત્રિય સમાજમાં ભભૂકી ઉઠ્યો રોષ 

પરષોત્તમ રૂપાલાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ભારે રોષે ભરાયેલો છે અને તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ છે. અનેક વખત અલગ અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પરષોત્તમ રૂપાલાના નિવેદન પર અલગ અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. પરષોત્તમ રૂપાલાના નિવેદનને અનેક ઉમેદવારોએ વખોડી કાઢ્યો છે. 



અનંત પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી 

થોડા સમય પહેલા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી હતી. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ વિષે કોઈ ટિપ્પણી ના કરતા તે પણ મારા બેહનો અને મારી માં છે. જો તમારે બેન બેટી માટે ખરાબ બોલવું હોય તો આ અનંત પટેલ તમારી સામે પડશે ત્યારે હવે ચૈતર વસાવાએ આ મામલે ઝંપલાવ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવાએ કહ્યું કે આદિવાસી અને રાજપુત સમાજનો જૂનો સંબંધ છે. વધુમાં તેમણે કહ્યું કે હંમેશા રાજપૂત રાજાઓની પડખે ભીલ સેના ઉભી રહી છે.... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.