અમિત શાહ બાદ સ્મૃતિ ઈરાનીનો ભારત જોડો યાત્રા પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 16:31:27

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જેને લઈ રાજનીતી ગરમાઈ છે. અમિત શાહના કટાક્ષ બાદ સ્મૃતિ ઈરાનીએ પણ યાત્રા પર પ્રહાર કર્યા છે. સ્મૃતિએ ડોડ્ડાબલ્લપુરામાં સંબોધન કરતા કહ્યું કે રાહુલ ગાંધી ભારતને એકજૂથ કરવાના માર્ગ પર છે, પરંતુ તેમણે પહેલા જવાબ આપવો જોઈએ કે ભારતને તોડવાની હિંમત કોણે કરી.

ભાજપના નિશાના પર રાહુલની ભારત જોડો યાત્રા

કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર ભારતીય જનતા પાર્ટી અનેક પ્રહારો કરી રહી છે. અમિત શાહ બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલની યાત્રા પર અનેક પ્રશ્ન ઉઠાવ્યા છે. યાત્રાની નિંદા કરતા તેમણે કહ્યું રાહુલ ગાંધી ભારતને એકજૂથ કરવાના માર્ગ પર છે, પરંતુ તેમણે પહેલા જવાબ આપવો જોઈએ કે ભારતને તોડવાની હિંમત કોણે કરી. તમે એ વ્યક્તિને પોતાની પાર્ટીના સભ્ય બનાવો છો, જેણે 'ભારત તેરે ટુકડે હોંગે, ઈન્શા અલ્લાહ'નો નારો આપ્યો હતો.

ભારતની અખંડતા પર સ્મૃતિએ ઉઠાવ્યા પ્રશ્ન

પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે કોણે ભારતની એકતાને નુકસાન પહોંચાડ્યું છે, જેના માટે વિપક્ષી પાર્ટીને આ પ્રકારનું અભિયાન ચલાવવાની જરૂર પડી. એક બાદ એક ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આ યાત્રા પર પ્રહાર કરી રહ્યા છે. અમિત શાહે રાહુલની ટી-શર્ટ પર કટાક્ષ કર્યો હતો. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.