અજીત પવારના બળવા બાદ શરદ પવારે કર્યું શક્તિ પ્રદર્શન, સંબોધન કરતી વખતે ભાજપ પર નિશાન સાધતા કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-07-03 14:25:43

મહારાષ્ટ્રના રાજકારણમાં ગઈકાલે મોટો ભૂકંપ આવ્યો છે. એનસીપીના નેતા અને શરદ પવારના ભત્રીજાએ પાર્ટીને અલવિદા કહી ભાજપમાં જોડાઈ ગયા હતા. નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ પણ ગઈકાલે તેમણે લઈ લીધા હતા. ત્યારે અજીત પવારના ગયા બાદ શરદ પવારે શક્તિ પ્રદર્શન કર્યું હતું, કઈ રીતે પાર્ટી આગળ વધશે તે અંગે રણનીતિ ઘડવા બેઠક બોલાવી હતી. આ બધા વચ્ચે શરદ પવાર સતારાના કરાડ પહોંચ્યા હતા અને સંબોધન કર્યું હતું. અજીત પવારની એક્ઝિટ બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. શક્તિ પ્રદર્શન કરી રહેલા શરદ પવારે કહ્યું કે 'મહારાષ્ટ્રમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યા છે. ચૂંટાયેલી સરકારોને પાડવામાં આવી રહી છે. મહારાષ્ટ્રે પોતાની એકતા બતાવવી પડશે.


અજીત પવાર સાથે અનેક ધારાસભ્યોએ છોડી પાર્ટી

મહારાષ્ટ્રના રાજકારણમાં રવિવારના દિવસે અજિતે પોતાના ઘરે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ પછી 53માંથી 40 ધારાસભ્યોનું ભારે સમર્થન ધરાવતા અજીત રાજભવન પહોંચ્યા હતા. રાજ્યના સીએમ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ પણ રાજભવન પહોંચ્યા અને ત્યારબાદ અજિત પવાર સહિત 9 મંત્રીઓએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આશ્ચર્યજનક બાબત તો એ છે કે શરદ પવારના ખૂબ જ નજીકના કહેવાતા પ્રફુલ પટેલ, દિલીપ વાલસે પાટીલ, છગન ભુજબળ પણ અજિત પવાર સાથે રાજભવન પહોંચ્યા હતા. શરદ પવારના વફાદારો પણ તેમનો સાથ છોડીને જતા રહેતા તેમના પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ છે. મહત્વનું છે કે શરદ પવારે પાર્ટીની બેઠક પાંચ તારીખે બોલાવી છે.     

શરદ પવારે કર્યું શક્તિ પ્રદર્શન 

એક તરફ પાર્ટીમાં ખેંચતાણ ચાલી રહી છે તો બીજી તરફ શરદ પવારે શક્તિ પ્રદર્શન કર્યું હતું.આજે સવારે શરદ પવાર સતારાના કરાડ પહોંચ્યા હતા અને પૂર્વ મુખ્યમંત્રી યશવંત રાવ ચૌહાણને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે બાદ પાર્ટીના કાર્યકરોને સંબોધ્યા હતા. સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે  'મહારાષ્ટ્રમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યા છે. ચૂંટાયેલી સરકારોને પાડવામાં આવી રહી છે. મહારાષ્ટ્રે પોતાની એકતા બતાવવી પડશે. જાતિ અને ધર્મના નામે વિભાજિત કરવામાં આવી રહ્યા છે. અમે વડીલોના આશીર્વાદથી નવેસરથી શરૂઆત કરીશું. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ હંમેશા આ સરકારની રમત રમે છે.  


એનસીપીએ પાર્ટી છોડનારને ગેરલાયક કર્યા હતા જાહેર 

મહત્વનું છે કે ગઈકાલે અજીત પવાર 8 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા હતા. અજીત પવારના બળવા બાદ એનસીપીએ તેમને ગેરલાયક ઠેરવ્યા હતા. આ બધા વચ્ચે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આગામી સમયમાં જે વિપક્ષી પાર્ટીની બેઠક થવાની હતી તેને રદ્દ કરવામાં આવી છે.

     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!