AAP-Congressના ગઠબંધનની જાહેરાત બાદ Mumtaz Patelએ માફી માગી.., તો ફૈઝલ પટેલે કહ્યું કે..


  • Published By :
  • Published Date : 2024-02-24 17:07:29

ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 24 લોકસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડવાની છે જ્યારે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર પર ચૂંટણી લડશે. ભરૂચ લોકસભા માટે જ્યારથી ગઠબંધનની ચર્ચા શરૂ થઈ છે ત્યારથી અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ વિરોધ દર્શાવી રહ્યા છે. ગઠબંધન બાદ બંને નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.

ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના નામની કરાઈ જાહેરાત 

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ રણનીતિ ઘડી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અનેક રાજ્યો માટે સીટોની વહેંચણી કરી છે. આમ આદમી પાર્ટીએ ભાવનગર તેમજ ભરૂચ લોકસભા સીટ માટે નામની જાહેરાત કરી છે. હજી સુધી તે ઉમેદવારો આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા પરંતુ આજથી તે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કહેવાશે. ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારથી ભરૂચ લોકસભા બેઠક માટે ગઠબંધનની ચર્ચા કરવામાં આવી ત્યારથી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ નારાજ દેખાયા છે. કોઈ બીજા પાર્ટી માટે પ્રચાર નહીં કરે.


ગઠબંધન પર ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલે આપી પ્રતિક્રિયા 

આજે ગઠબંધન અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી તે બાદ મુમતાઝ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે લખ્યું કે ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક ન મેળવી શકવા બદલ હું અમારા જિલ્લા કેડરની દિલથી ક્ષમાયાચના. હું તમારી નિરાશાને સહભાગી કરું છું. સાથે મળીને, આપણે કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે ફરી એકત્ર થઈશું . અમે અહેમદ પટેલના 45 વર્ષનો વારસો વ્યર્થ નહીં જવા દઈશું. #ભરુચકીબેટી. તે સિવાય ફૈઝલ પટેલે પ્રતિક્રિયા આપી કે હું દિલ્હી જઈશ અને રજૂઆત કરીશ. નોમિનેશન માટે બહુ સમય છે, ચૂંટણીને બહુ સમય છે. ઘણું બધું થઇ શકે. કાર્યકરો કહેશે એ મુજબ હું કરીશ. ભરૂચ સાથે અમારા પરિવારનો જૂનો સંબંધ છે. ભરૂચ બેઠક અમારી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.