આપ, ભાજપ બાદ હવે કોંગ્રેસના નેતાઓ આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 18:33:11

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રચાર માટે મેદાનમાં દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. ભાજપ તેમજ આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ પણ પ્રચાર કરવા સક્રિય બની છે. ગુજરાતમાં આપની એન્ટ્રી થતા રાજકારણના સમીકરણ બદલાઈ શકે છે. આ વખતે ગુજરાતમાં જીત મેળવવા કોંગ્રેસ પણ તડામાર તૈયારી કરી રહ્યું છે.

ચૂંટણીને લઈ કોંગ્રસ એક્ટિવ મોડમાં

આ વખતે કોંગ્રેસનો પ્રચાર કરવા અનેક દિગ્ગજ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, સચીન પાઈલોટ, કમલનાથ સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા આવી શકે છે. રાજ્યના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં તેઓ પ્રચાર કરવાના છે. ઉપરાંત જગદીશ ઠાકોર, જીગ્નેશ મેવાણી, અર્જૂન મોઢવાડિયા, અમિત ચાવડા સહિતના આગેવાનો ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવાના છે.

Priyanka Gandhi - WikipediaSonia Gandhi - Wikipedia

congress leader Sachin Pilot reaction Udaipur kanhaiya lal beheading -  कन्हैया की हत्या पर सचिन पायलट ने जाहिर किया आक्रोश, कहा- पार हो गईं सारी  हदें


રણનીતિ સાથે વધી રહ્યું છે કોંગ્રેસ

કોંગ્રેસના ધારાસભ્ચ અને લલિત કગથરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની તમામ સીટ પર કોંગ્રેસનો માહોલ બનાવવા માટે 28 સપ્ટેમ્બરે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર નામથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં જન સભામાં સંબોધન કરશે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.