24 વર્ષ બાદ ગાંધી પરિવાર સિવાય કોંગ્રેસને મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 12:16:23

આવનાર મહિનામાં કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી યોજાવાની છે. છેલ્લા અનેક દિવસોથી દાવેદારીને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અધ્યક્ષની રેસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ શશી થરૂરનું નામ ચર્ચાઈ રહ્યું છે. વંશવાદની વાતોમાં હમેશાં ઘેરાયેલું રહેતું કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવાર સિવાયના પ્રમુખ મળશે તેવી સંભાવના દેખાઈ રહી છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા રાહુલ ગાંધીનો સ્પષ્ટ ઈનકાર

રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તેવી અનેક અટકળોએ ફરી એક વખત જોર પકડ્યું હતું. ત્યારે રાહુલે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ અંગે સ્પષ્ટ ના પાડી દીધી હતી. રાહુલ ગાંધીએ આગળ જણાવ્યું કે જે પણ કોંગ્રેસનો અધ્યક્ષ બનશે તેણે યાદ રાખવું જોઈએ કે તે એક વિચારધારા, એક માન્યતા પ્રણાલી અને ભારતની દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરશે.

Zero tolerance...': Rahul Gandhi on NIA-ED-police raids on PFI, SDPI  leaders | Latest News India - Hindustan Times


અધ્યક્ષ પદ માટે અશોક ગેહલોત સૌથી આગળ 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે. 3 વખત તેઓ મુખ્યમંત્રી પદે રહેલા છે તેમજ તેમની પાસે કેન્દ્ર અને સંગઠનનો વર્ષોનો અનુભવ છે. આ બધા વચ્ચે ગેહલોતે સોનિયા ગાંધી સાથે લાંબી વાતચીત પણ કરી હતી. ગેહલોતને ગાંધી પરિવારના વફાદાર પણ માનવામાં આવે છે.

Ashok Gehlot confirms bid for Congress president, but won't stay away from  Rajasthan - India News

શશિ થરૂરે પણ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી

શશિ થરૂરે પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂર કેરળના તિરૂઅનંતપુરમથી લોકસભાના સાંસદ છે. તેમણે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી ચૂંટણી લડવા માટે પરવાનગી માગી. સોનિયાએ કહ્યું કે ચૂંટણી લડવાનો નિર્ણય તમારો છે. પાર્ટીની ચૂંટણી પ્રકિયા નક્કી કરેલા નિયમો પ્રમાણે થશે.

Shashi Tharoor

આ ઉપરાંત મનીષ તિવારી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, દિગ્વિજય સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીના નામોની ચર્ચા થઈ રહી છે.

થોડા દિવસોમાં પોતાનું નામાંકન કરાવશે અશોક ગેહલોત 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની માટે તૈયારી દર્શાવતા કહ્યું કે પાર્ટી જો જવાબદારી આપશે, તેને નિભાવીશ અને પાર્ટી તેમને કહે છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી ભરો તો તે ભરશે.

 

ચૂંટણીનું ટાઈમટેબલ

24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શકશે. નામાંકન પાછા ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે, 17 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણી થશે અને 19 ઓક્ટોબરના રોજ પરિણામ આવશે.    



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.