સત્તા સામે બોલવામાં ડર લાગે છે? સાંભળો જનતા તેમજ સિસ્ટમને લઈ શું કહ્યું Dr. Kanu Kalsariyaએ? લોકોમાં છે જાગૃતિનો અભાવ!


  • Published By :
  • Published Date : 2024-06-01 12:59:12

રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ અમે અનેક વખત કહીએ છીએ કે ક્યાંય ખોટું થતું હોય તો બોલજો.. અસત્ય સામે બોલજો.. પરંતુ આપણે ઘણી વાર એવું માનીને ચૂપ થઈ જઈએ છીએ કે બીજાની પર વિતી છે એટલે આપણને ફરક નથી પડતો.. પરંતુ આપણે તે વસ્તુ ભૂલી જઈએ છીએ કે જેવી દુર્ઘટના બીજા સાથે સર્જાઈ છે તે આપણી સાથે પણ સર્જાઈ શકે છે.. લોકો બોલતા ડરી રહ્યા છે. સામાન્ય માણસો તો ઠીક પરંતુ નેતાઓ પણ બોલતા ડરે છે.. ત્યારે જમાવટની ટીમે પૂર્વ ધારાસભ્ય ડો. કનુ ભાઈ કલસારિયા સાથે વાત કરી હતી.. 

લોકોએ નિડર બનવું પડશે..!

ડો. કનુ કલસારિયાએ પોતાના સમયમાં એટલે જ્યારે તે ધારાસભ્ય પદ પર હતા ત્યારે અનેક વખત અવાજ ઉઠાવ્યો છે ખોટા વિરૂદ્ધ.. લોકો શા માટે નથી બોલતા તેની પાછળનું તેમણે કારણ આપ્યું કે આજકાલ ભયનો માહોલ છવાઈ ગયો છે.. લોકો બોલતા પહેલા સો વખત વિચાર કરે છે.. લોકો એટલા બધા ડરેલા છે કે લોકોને બીજાની પડી પણ નથી.. લોકોએ પોત પોતાના કાર્યથી કામ રાખવું તેવી વાત તેમણે કરી હતી.. તેમણે કહ્યું કે જવાબદાર લોકોએ નિડર બનવું પડે... જો તે લોકો નિડર બને તો ઘણા બધા પ્રશ્નો ઉકેલાઈ જાય..   


લોકોમાં જાગૃતિનો અભાવ છે...! 

અધ્યાત્મ ક્ષેત્રના ગુરૂઓએ પણ એ જ સલાહ આપી છે કે ડરો નહીં.. જે આફત આવી છે તેનો સામનો કરો.. નિડર બનીને તેનો સામનો કરો... સત્યને ઉજાગર કરો.. જ્યારે આવી મોટી દુર્ઘટના બની છે ત્યારે ઘણા લોકો હિંમત રાખી બહાર આવ્યા અને એક્શન લેવાવાની શરૂઆત થઈ છે... આવું થાય અને તે બાદ કાર્યવાહી થાય તો તે તો પૂર આવી ગયા પછી પાળો બાંધવા જેવી વાત છે...  સંવેદનશીલતા ઘટે છે, અવેરનેસ ઘટે છે તેવી વાત કરવાનો તેમનો હેતું હતો..  જાગૃતિનો માહોલ બનાવવો પડે.. 


ભ્રષ્ટાચારને કારણે અધિકારીઓ કાર્યવાહી નથી કરી શકતા! 

ભ્રષ્ટાચારની પણ વાત તેમણે કરી.. તેમણે કહ્યું કે જો ભ્રષ્ટાચાર ના હોય તો આ અંગેની જાગૃતિ પણ હોય જ.. જે લોકોને ધ્યાન રાખવાનું હોય, જે લોકોને જવાબદારીનો ખ્યાલ રાખવાનો તે નથી રાખતા ભ્રષ્ટાચારને કારણે.. પોત પોતાની ફરજ તે લોકો બજાવે પણ ભ્રષ્ટાચારને કારણે તે સૌ લોકો ક્યાંકને ક્યાંક અટવાયેલા રહે છે અને તે મૂળ ફરજ અદા કરી શકતા નથી તેવું તેમણે કહ્યું હતું.. ધારાસભ્ય પદ પર તે જ્યારે હતા ત્યારે તેમણે પોતાની સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેની પાછળ તે શું વિચારતા હતા તેની વાત તેમણે કરી હતી. 



આપણે અત્યારે નહીં બોલીએ તો એક સમય એવો હશે જ્યારે.. 

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે બોલવાથી કાંઈ ફરક પડતો નથી.. સામાન્ય માણસનો અવાજ કોઈ સાંભળતું નથી.. ઉલ્લેખનિય છે કે સામાન્ય માણસના અવાજને અનેક વખત દબાવવાની કોશિશ કરવામાં આવી હશે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે બોલવાનું જ બંધ કરી દઈએ.. આજે નહીં તો કાલે બોલવાનો ફરક દેખાશે.. આપણે હમણાં અવાજ નહીં ઉઠાવીએ તો આપણા માટે કોઈ નહીં બોલે..   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.