અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંતમાં શિયા મુસ્લિમ સમુદાયની મસ્જિદમાં વિસ્ફોટ, 15થી વધુ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-13 22:25:11

અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંતમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં 15થી વધુ લોકોના મોત થયા છે. આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. પોલ-એ-ખોમરીની મસ્જિદ તકિયાખાના ઈમામ ઝમાનમાં બોમ્બ વિસ્ફોટને કારણે 15થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ડઝનેક અન્ય લોકો ઘાયલ થયા છે. આ મસ્જિદ શિયા મુસ્લિમ સમુદાયની હોવાનું કહેવાય છે. અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે.


મૃત્યુઆંક વધુ હોઈ શકે છે


શુક્રવારની નમાજને કારણે મસ્જિદમાં ખૂબ જ ભીડ હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. બગલાનના માહિતી અને સંસ્કૃતિ વિભાગના નિર્દેશક મુસ્તફા હાશ્મીએ ટોલો ન્યૂઝને જણાવ્યું હતું કે હાલ 15 લોકોના મૃત્યુની સંભાવના છે, કારણ કે મૃતદેહોની સંપૂર્ણ ગણતરી કરવામાં આવી નથી. જોકે, હાશમી એ કહી શક્યો ન હતો કે આ વિસ્ફોટ કયા પ્રકારનો હતો અને કેટલા લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે આ સંખ્યા મૃતદેહો અને ઘાયલોની નક્કર ગણતરી પછી જ કહી શકાશે.


અફઘાનિસ્તાનમાં વિસ્ફોટો વધી રહ્યા છે


અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની પીછેહઠ અને તાલિબાન સત્તામાં પાછા ફર્યા તેમ છતાં બોમ્બ વિસ્ફોટો બંધ થયા નથી. વર્ષ 2021માં તાલિબાન ફરી સત્તા પર આવ્યા બાદ પણ સતત બોમ્બ વિસ્ફોટો જોવા મળી રહ્યા છે, જેમાં સેંકડો લોકોના મોત થયા છે. આ વર્ષે જૂનમાં થયેલા વિસ્ફોટમાં પણ ડઝનેક લોકો માર્યા ગયા હતા, જ્યારે માર્ચમાં તાલિબાન અધિકારીઓને નિશાન બનાવીને થયેલા વિસ્ફોટમાં પણ ડઝનથી વધુ લોકો માર્યા ગયા હતા. તાલિબાને આ વિસ્ફોટો માટે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS)ને જવાબદાર ઠેરવ્યું છે.



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?