હનુમાન જયંતી પૂર્વે ગૃહ મંત્રાલયની રાજ્યોને ગાઈડલાઈન, શાંતિ અને સૌહાર્દ જળવાય તે માટે આપી આ સૂચના


  • Published By :
  • Published Date : 2023-04-05 20:22:57

રામનવમીના પ્રસંગે ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન ગુજરાત સહિત દેશના વિવિધ 6 રાજ્યોમાં થયેલા કોમી રમખાણોને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હનુમાન જ્યંતિની ઉજવણીને લઈને સતર્ક બન્યું છે. ગૃહ મંત્રાલયે અગમચેતીના પગલા ભરતા અને હનુમાન જયંતિની તૈયારીઓને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી દીધી છે. જેને અંતર્ગત રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, તહેવારનું શાંતિપૂર્ણ પાલન અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા તત્વો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આવતી કાલે 6 એપ્રિલે હનુમાન જયંતિ ઉજવાશે.


ગૃહમંત્રાલયે કર્યું ટ્વીટ


ગૃહમંત્રીના કાર્યાલયે ટ્વીટ કર્યું કે રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોએ કાયદો અને વ્યવસ્થા જાળવવા, તહેવાર દરમિયાન શાંતિ જાળવવા અને સમાજમાં સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડી શકે તેવા તમામ પ્રકારના કારણો અથવા લોકો પર નજર રાખવાની જરૂર છે.


સરકાર એલર્ટ મોડ પર 


રામનવમી પર બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં હિંસા થઈ હોવાથી કેન્દ્ર સરકાર પહેલેથી જ એલર્ટ મોડ પર છે. તેથી જ તમામ રાજ્યોને તહેવાર દરમિયાન કડક તકેદારી રાખવા માટે પહેલાથી જ સૂચના આપવામાં આવી છે. આ વખતે કેન્દ્ર સરકારે તોફાની તત્વોને ઝેર કરવા આકરૂ વલણ દાખવ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.