‘રહસ્યમય ન્યુમોનિયા’ને લઈ તંત્રની આગોતરી તૈયારી, અમદાવાદ સિવિલમાં બાળકો માટે 300 બેડ અનામત


  • Published By :
  • Published Date : 2023-11-29 21:24:48

ચીનમાં કોરોના બાદ ફેલાઈ રહેલા ‘રહસ્યમય ન્યુમોનિયા’એ ફરી એક વખત ચિંતા વધારી છે. આ  ન્યુમોનિયાની બીમારીનો સૌથી વધુ ભોગ બાળકો બની રહ્યા છે. ચીનમાં આ રોગ ફેલાયા બાદ ભારત સરકાર પણ સાવચેતીના પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા અને તમિલનાડુને એડવાઈઝરી જાહેર કરીને એલર્ટ કર્યાં છે. આથી જ એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે.


સિવિલ હોસ્પિટલમાં 300 બેડ અનામત


રાજ્ય સરકારે પણ એક પરિપત્ર હેઠળ રાજ્યની તમામ જાહેર હોસ્પિટલોને સજ્જ રહેવા સૂચન કરવામાં આવ્યું છે. રાજ્યની હોસ્પિટલો અને ખાસ કરીને અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ કહેવાતી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર કોવિડ સમકક્ષ તૈયારીઓ કરવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 300 બેડ બનાવવામાં આવ્યા છે. જ્યારે બાળકોમાં શ્વાસ સબંધી રોગ પર નજર રાખવામાં આવી રહી છે. આટલું જ નહીં, તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર, PPE કિટ અને એન્ટી વાયરલ જવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે જરૂર જણાશે, તો આઈસોલેશન વોર્ડ પણ ઉભો કરી દેવામાં આવશે.વધુમાં ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, આ રોગ ભારતમાં આવે તેવી શક્યતા ઓછી છે. આમ છતાં બાળકોના ફેફસામાં બળતરા, તાવ, ઉધરસ અને શરદીના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.ચીનમાં હાહાકાર મચાવી રહેલી આ શ્વાસ સબંધિત બીમારીનું કારણ H9N2ને માનવામાં આવી રહ્યું છે, જે પક્ષીઓ દ્વારા માણસમાં ફેલાતો વાયરસ છે. આ ભેદી બીમારીની સૌથી વધુ અસર બાળકો પર થઈ રહી છે. તાવ સાથે ફેફસા ફુલાવી દેનારી આ બીમારીના કારણે દરરોજ 7 હજાર બાળકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે.


સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની બે ટેન્ક કાર્યરત


અમદાવાદની સિવિલ હોસ્પિટલના સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં કોવિડની પિક દરમિયાન ઓક્સિજનની બે ટેન્ક લગાવવામાં આવી હતી. ચીનમાં આવેલા ભેદી રોગબાદ આ બંને ટેન્કની હાલની કાર્યક્ષમતા ચકાસવા હોસ્પિટલ તંત્ર દ્વારા ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ભારત સરકારે એડવાઈઝરી જાહેર કર્યા બાદ બે દિવસ અગાઉ બંને ટેન્ક કાર્યરત છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક સંપૂર્ણપણે કાર્યરત છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.