પાકિસ્તાનના સિંધમાં પ્રશાસને હિંગળાજ માતાનું મંદિર તોડ્યું, ક્રિકેટર દાનિશ કનેરિયાએ વીડિયો કર્યો શેર


  • Published By :
  • Published Date : 2023-11-24 21:50:45

પાકિસ્તાનમાં હિંદુઓ અને તેમના ધાર્મિક સ્થળો પર હુમલા કોઈ નવી વાત નથી. જ્યારથી પાકિસ્તાન બન્યું છે ત્યારથી બિન-મુસ્લિમો વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ફરી એકવાર માનવ અધિકારોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે. પાકિસ્તાનમાં સત્તાવાળાઓએ કથિત રીતે એક હિંદુ મંદિરને નિશાન બનાવ્યું છે. સિંધના હિંગળાજ માતાનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. આમાં પાકિસ્તાનનું સમગ્ર વહીવટીતંત્ર સામેલ છે. થરપારકર જિલ્લાના અધિકારીઓએ મીઠી શહેરમાં મંદિર તોડી પાડવાના કોર્ટના આદેશને ટાંક્યો હતો.


સુપ્રીમ કોર્ટના પ્રોટેક્શન ઓર્ડર છતાં આ મંદિર તોડી પડાયું


મિડીયા રિપોર્ટ મુજબ, મીરપુરખાસની અતિક્રમણ વિરોધી અદાલતના આદેશ બાદ પાકિસ્તાનના થરપારકરના મીઠીમાં આવેલા હિંગળાજ માતાના મંદિરને તોડી પાડવામાં આવ્યું છે.”હિંદુઓના ધાર્મિક સ્થળ, શારદા પીઠ મંદિરને LOC નજીક તોડી પાડવામાં આવ્યું હતું. મંદિરની નજીક એક કોફી હાઉસ બનાવવામાં આવી રહ્યું છે, જેનું ઉદ્ઘાટન આ વર્ષે કરવામાં આવશે. પાકિસ્તાનમાં હિંદુઓ પર આ અત્યાચાર કોઈ નવી ઘટના નથી. અહીં રહેતા હિંદુઓએ સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ટાર્ગેટ કિલિંગ, હત્યાઓ અને  જમીનો પર કબજો જમાવી લેવા સહિતનો સમાવેશ થાય છે.


અગાઉ પણ મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા


શારદા પીઠ યુનેસ્કોની સંરક્ષિત સાઇટ હોવા છતાં, શારદા પીઠને તોડી પાડવાથી બચાવી શકાઈ નથી. આ વિનાશ પાકિસ્તાનમાં સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાના સંરક્ષણ પર સવાલો ઉભા કરે છે. અગાઉ જુલાઈમાં પણ એક મંદિર તોડવામાં આવ્યું હતું. કરાચીમાં મરીમાતાનું મંદિર જમીનદોસ્ત થઈ ગયું. સમગ્ર વિસ્તારમાં લાઈટ ન હોવાથી મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. બાહ્ય દિવાલ અને દરવાજા સિવાય સમગ્ર આંતરિક માળખું તોડી પાડવામાં આવ્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે