આદિત્ય-L1: હવે 2 સપ્ટેમ્બરે લોન્ચ થશે ISROનું સૂર્ય મિશન, તેનાથી શું લાભ થશે? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-28 20:21:55

ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતની આગામી તૈયારી સૂરજ માટે છે. ઈસરો શનિવારે સૂર્યના અભ્યાસ માટે અવકાશયાન મોકલી રહ્યું છે. આ માટે આદિત્ય-L1 અવકાશમાં જશે. આદિત્ય-L1 સંપૂર્ણપણે સ્વદેશી પ્રયાસ છે. તેને બે અઠવાડિયા પહેલા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે ઈસરોના સ્પેસ સેન્ટરમાં લાવવામાં આવ્યું હતું. આદિત્ય L1 મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ મિશન PSLV-C57 રોકેટથી લોન્ચ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય સૂર્યના રહસ્યોનો અભ્યાસ કરવાનો છે. ISRO આ વર્ષે ગગનયાન 1 મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તે પછી 2024માં શુક્રયાન અને મંગલયાન મિશન મોકલવાની પણ યોજના છે.


આદિત્ય મિશન શું છે?


આદિત્ય એલ-1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય અવકાશ-આધારિત વેધશાળા (ઓબ્ઝર્વેટરી) હશે. તેનું કામ 24 કલાક સૂર્ય પર નજર રાખવાનું રહેશે. પૃથ્વી અને સૂર્યની સિસ્ટમ વચ્ચે પાંચ Lagrangian point  છે. સૂર્યયાન Lagrangian point 1 (L1)ની આસપાસ એક હેલો ઓર્બિટમાં તૈનાત રહેશે. પૃથ્વીથી L1 પોઈન્ટનું અંતર 1.5 મિલિયન કિમી છે જ્યારે પૃથ્વીથી સૂર્યનું અંતર 150 મિલિયન કિમી છે. L1 પોઈન્ટ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે અહીંથી સુર્ય પર અઠવાડિયાના સાતેય દિવસ, 24 કલાક કલાક નજર રાખી શકાય છે. ગ્રહણ દરમિયાન પણ તે જોઈ શકાય છે.


આદિત્ય  L1 મોકલવાથી શું લાભ થશે?


અવકાશયાન સાત પેલોડ લઈને જશે, આ પેલોડ્સ ફોટોસ્ફેયર (પ્રકાશમંડળ), ક્રોમોસ્ફિયર (સૂર્યની દૃશ્યમાન સપાટીથી ઠીક ઉપરની સપાટી) અને સૂર્યના સૌથી બહારના સ્તર (કોરોના)નું નિરિક્ષણ કરશે. સૂર્યમાં થતી વિસ્ફોટક પ્રક્રિયાઓ પૃથ્વીની નજીકના અવકાશ વિસ્તારમાં સમસ્યા ઊભી કરી શકે છે. ઘણા ઉપગ્રહોને નુકસાન થઈ શકે છે. જો આવી પ્રક્રિયાઓની જાણ પહેલાથી જ થઈ જાય તો બચાવના આગોતરા પગલા ભરી શકાય શકાય છે. તમામ સ્પેસ મિશન ચલાવવા માટે અવકાશના હવામાનને સમજવું જરૂરી છે. આ મિશન અવકાશના હવામાનને સમજવામાં પણ મદદ કરી શકે છે. આના દ્વારા સૌર પવનોનો પણ અભ્યાસ કરી શકાશે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.