Chandrayaan-3 બાદ Aditya-L1એ મોકલી આ તસવીર, Aditya-L1એ પૃથ્વી અને ચંદ્રમાને કર્યા કેમેરામાં કેદ, ISROએ શેર કરી માહિતી


  • Published By :
  • Published Date : 2023-09-07 14:16:24

સ્પેસ સાયન્સમાં ભારતે પોતાનો ડંકો વગાડી દીધો છે. ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી વિશ્વમાં ભારતનું સ્તર વધારી દીધું છે. ચંદ્રની સપાટી પર પહોંચ્યા બાદ ચંદ્રયાન-3એ ચંદ્રને લઈ અનેક માહિતી આપી હતી. ત્યારે હવે સૂર્યના મિશન પર નિકળેલા આદિત્ય એલ-1એ પણ એક સુંદર તસવીર મોકલી આપી છે. આદિત્ય-એલ1 સૂરજ નજીક પહોંચે તે પહેલા ઈસરોએ આદિત્ય એલ-1ના એક કેમેરાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આદિત્ય-એલ1એ પૃથ્વી અને ચંદ્રની તસવીરો મોકલી છે અને ઈસરોએ એ તસવીરોને શેર કરી આપણા સુધી પહોંચાડયા છે. તે ઉપરાંત આદિત્ય એલ-1એ પોતાનો ફોટો પણ લીધો હતો. 

ઈસરોએ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો 

ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર પહોંચી અલગ અલગ તસવીરો શેર કરી હતી. વિક્રમ લેંડર અને પ્રાન રોવરએ અનેક તસવીરો મોકલાવી હતી ત્યારે હવે સૂર્ય તરફ આગળ વધી રહેલા આદિત્ય એલ-1એ પણ તસવીરો મોકલવાનું શરૂ કરી દીધું છે. સૂર્યની જાણકારી પ્રાપ્ત કરવા માટે શરૂ કરવામાં આવેલું મિશન આદિત્ય એલ-1 પણ એક્ટિવ થઈ ગયું છે. સૂરજ નજીક સૂર્યયાન પહોંચે તે પહેલા પૃથ્વી અને ચંદ્રની એક ખાસ તસવીર મોકલી છે જેને ઈસરોએ શેર કરી છે. તસવીરો શેર કરતા ઈસરોએ લખ્યું કે આદિત્ય એલ-1એ સેલ્ફી અને ચંદ્ર અને પૃથ્વીના ફોટા ક્લીક કર્યા છે.


ચંદ્રયાન બાદ આદિત્ય એલ1 મોકલી રહ્યું છે તસવીરો 

મહત્વનું છે કે 2 સપ્ટેમ્બરના રોજ શ્રીહરિકોટાથી ભારતે સૂર્યનું અધ્યયન કરવા માટે આદિત્ય એલ-1 લોન્ચ કર્યું હતું. લાખો કિલોમીટરની યાત્રા કરી 128 દિવસ બાદ સૂરજ નજીક સૂર્યયાન પહોંચવાનું છે. લેગ્રેજિયન પોઈન્ટ પર આ સૂર્યયાનને સ્થાપવામાં આવશે. આ પોઈન્ટને કારણે આ મિશનને આદિત્ય-એલ1 નામ આપવામાં આવ્યું છે.મહત્વનું છે કે આદિત્ય એલ-1 લોન્ચિંગ બાદ બે વખત પૃથ્વીની કક્ષા બદલી ચૂક્યું છે. પહેલા ચંદ્રયાન-3 ફોટા શેર કરતું હતું હવે આદિત્ય એલ-1 પણ ફોટા શેર કરી રહ્યું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.