Aditya L1ના લોન્ચિંગનું Count Down શરૂ, 11.50 વાગે શ્રીહરિકોટાથી થશે લોન્ચ, ચંદ્રયાન-3 બાદ ભારતનો સૌથી મહત્વનો પ્રોજેક્ટ


  • Published By :
  • Published Date : 2023-09-02 12:20:45

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરો હવે સૂર્ય માટે આજે પોતાનું મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી Aditya-L1 લોન્ચ થવા જઈ રહ્યું છે અને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 11.50 વાગ્યે લોન્ચ થવાનું છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ PSLV-XL રોકેટની મદદથી લોન્ચ થવાનું છે. 127 દિવસ પછી આદિત્ય એલ1 પોતાના પોઈન્ટ પર પહોંચશે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો સૂર્ય અંગે નવી માહિતી ભારતને મળશે. અનેક મહત્વના ડેટા મોકલવાનું શરૂ કરી દેશે. આ પ્રોજેક્ટ  ભારતનો પ્રથમ પ્રોજેક્ટ છે જે સૂર્યનો અભ્યાસ કરશે.


આદિત્ય એલ-1 આજે થશે લોન્ચ  

ભારતે સ્પેસ સાયન્સમાં પ્રગતિ કરી છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતનો ડંકો વિશ્વભરમાં વાગ્યો છે. ચંદ્રનો અભ્યાસ હાલ ચાલી રહ્યો છે ત્યારે હવે સૂર્યનો અભ્યાસ પણ ભારતે શરૂ કરી દીધો છે. શ્રીહરિકોટાથી સવારે 11.50 વાગ્યે ભારતનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ લોન્ચ થશે. આ પ્રોજેક્ટ પર સૌ કોઈની નજર રહેવાની છે. જે પ્રોજેક્ટનું લોન્ચિંગ આજે કરવામાં આવવાનું છે તે સૂર્યના લેગેન્જ પોઈન્ટ એટલે કે એલ-1 પોઈન્ટ પર ઉતરશે અને ત્યાંથી સૂર્યને લઈ માહિતી ભારતને પહોંચાડશે. સૂર્ય સુધી પહોંચવા માટે આદિત્ય સ્પેસક્રાફ્ટને 120 દિવસનો સમય સાગશે. 4 મહિના બાદ આ સ્પેસક્રાફ્ટ એલ1 પોઈન્ટે પહોંચશે. આ પ્રોજેક્ટ પાછળ 378 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. 31 ડિસેમ્બર 2023ના રોજ આ મિશન પૂર્ણ થશે.  

આદિત્ય L1 અવકાશયાન આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.

આદિત્ય L1 અવકાશયાન આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.

વૈજ્ઞાનિકોએ કર્યા હતા ભગવાનના દર્શન 

ગઈકાલે ઈસરોના વૈજ્ઞાનિકો મંદિરે દર્શન કરી આ પ્રોજેક્ટ સફળ થાય તે માટે ભગવાનના આશીર્વાદ લીધા હતા. મહત્વનું છે કે ચંદ્રયાન-3ના લોન્ચિંગ પહેલા પણ વૈજ્ઞાનિકોએ ભગવાનના શરણે ગયા હતા.   



કોરિયન ઇલેક્ટ્રોનિક્સ કંપની LG ને તેના IPO માટે બજાર નિયમનકાર SEBI તરફથી મંજૂરી મળી ગઈ છે. ભારતીય બજારમાં લિસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે LGનો IPO દેશનો પાંચમો સૌથી મોટો ઇશ્યૂ હશે. આ જાહેર ઇશ્યૂ હેઠળ, પ્રમોટર કોરિયન કંપની લગભગ 10.18 કરોડ શેર વેચાણ માટે ઓફર કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન રશિયા-યુક્રેન યુદ્ધને લઇને ૩૦ દિવસનો સીઝફાયર કરવા માટે સેહમત થયા . આ યુદ્ધ બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ભયંકર છે . લાખો લોકોએ પોતાના સ્વજનો અને મકાનો ગુમાવી દીધા છે . હવે જોઈએ કે , ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધ અટકાવવામાં કેટલા સફળ થાય છે.

IPL 2025નો આગામી 22મી માર્ચથી શરૂ થશે. BCCI વિશ્વની મુખ્ય ફ્રેન્ચાઇઝી ટૂર્નામેન્ટના 18 વર્ષ થતા, તમામ 13 સ્થળો પર વિશેષ સમારંભનું આયોજન કરશે. દરેક સ્ટેડિયમમાં પ્રથમ મેચની શરૂઆતમાં રંગારંગ કાર્યક્રમોમાં વિવિધ કલાકાર પરફોર્મ કરશે.

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર બેઉ અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા છે . જોકે આ અવકાશયાત્રા દરમ્યાન સુનિતા વિલિયમ્સની સિદ્ધિઓ ખુબ જ વિશેષ છે. તેમણે જે પ્રયોગો કર્યા છે અને સ્પેસવોક કર્યું છે તે ખુબ જ મહત્વનું છે . સુનિતા વિલિયમ્સની આ બધી જ સિદ્ધિઓ બીજા મહિલા અવકાશયાત્રી કરતા ખુબ વિશેષ છે .