આદિપુરૂષ ફિલ્મ આવી ચર્ચામાં! હનુમાનજી માટે રાખવામાં આવેલી સીટ ખાલી નહીં રખાય! જાણો સીટ પણ કોને અપાશે સ્થાન?


  • Published By :
  • Published Date : 2023-06-15 15:25:44

મહાગ્રંથ રામાયણ પર આધારિત આદિપૂરૂષ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં ભગવાન રામનો રોલ પ્રભાસ નિભાવી રહ્યા છે જ્યારે જાનકી એટલે કે માતા સીતાનો રોલ ક્રિતી સેનન અદા કરી રહ્યા છે. રાવણનું પાત્ર સૈફ અલી ખાન નિભાવી રહ્યા છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ એડવાન્સ બુકિંગ લોકો કરાવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મને લઈ થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે એક સીટ હનુમાનજી માટે રાખવામાં આવશે. ત્યારે આમાં અપડેટ સામે આવી છે. મળતી માહિતી અનુસાર મોટા મોટા સિનેમાઘરોમાં હનુમાનજી માટે સીટ પર મૂર્તિ અથવા તો આસન રાખવામાં આવશે અને તેની પર પુષ્પ અર્પણ કરવામાં આવશે. 



હનુમાનજીની સીટ ખાલી નહીં રખાય!   

પ્રભાસ અને ક્રિતી સેનનની ફિલ્મ આદિપુરૂષને કોઈને કોઈ વાતને લઈ હેડલાઈન્સમાં રહેતી હોય છે. વચ્ચે એવી જાહેરાત કરવામાં આવી હતી કે સિનેમાઘરોમાં એક સીટ હનુમાનજી માટે રિઝવ રાખવામાં આવશે. ફિલ્મ મેકર્સના કહેવા અનુસાર જ્યાં જ્યાં પણ ભગવાન રામની વાતો તેમના ગુણગાન ગવાય છે ત્યાં હનુમાનજીની હાજરી ચોક્કસ જોવા મળતી હોય છે. ત્યારે હવે આ મામલે નવા સમાચાર સામે આવ્યા છે. પહેલા માત્ર સીટ ખાલી રાખવામાં આવી હતી પરંતુ હવે મળતી માહિતી અનુસાર સીટ પર હનુમાનજીની પ્રતિમા મૂકવામાં આવશે અને આસન પણ ભગવાન માટે રાખવામાં આવશે. તે ઉપરાંત ફૂલ પણ ભગવાનને અર્પણ કરવામાં આવશે. મૂર્તિ રાખવા પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે સીટ પર મૂર્તિ રાખવાથી કોઈ સીટ પર બેસી ન જાય અને કોઈ પાછળથી સીટને પગ પણ ન લગાવે.   


અનેક લોકોએ કરાવી લીધું છે એડવાન્સ બુકિંગ!

આદિપુરૂષ ફિલ્મના રિલીઝ થાય તે પહેલા જ અનેક વખત વિવાદોમાં આવી ગઈ છે. 100 કરોડથી વધુના ખર્ચે આ ફિલ્મ તૈયાર થઈ છે. ભવ્ય આયોજન કરી ફિલ્મના ટીઝરને રિલીઝ કરવામાં આવ્યું હતું. તે બાદ ફિલ્મમાં સીતાજીનો રોલ પ્લે કરનાર ક્રિતી સેનન હાલમાં જ ચર્ચામાં આવ્યા હતા એ મુદ્દો આપણે સૌ કોઈ જાણીએ છીએ. તે પહેલા પણ વીએફએસને લઈ ફિલ્મ ચર્ચામાં આવી હતી. તે સિવાય ભગવાન રામને મૂછો વાળા દર્શાવવામાં આવ્યા હતા અને તે પહેલા એક સિનમાં ચપ્પલ પહેરેલા દેખાયા હતા. આ બધા સિનને લઈ વિવાદ છેડાયો હતો. વિવાદ વધતા સીનમાં ફેરફાર પણ કરવામાં આવ્યા હતા. હવે જોવું રહ્યું કે બોક્સઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન કેવું હશે?   



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.