કોંગ્રેસના સાંસદ અધિર રંજન ચૌધરીએ PM મોદીની તુલના ધૃતરાષ્ટ્ર સાથે કરતા થયો હોબાળો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-10 17:09:40

કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ મોદી સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન સાંસદ અધીર રંજન ચૌધરીએ PM મોદી પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા. આજે લોકસભામાં તેમના ભાષણમાં, ચૌધરીએ પીએમ મોદીની તુલના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી અને ધૃતરાષ્ટ્ર સાથે કરી હતી, જેના પગલે લોકસભામાં ભારે હોબાળો થયો હતો, જો કે વિરોધ વધતા સ્પીકરે તેમની ટિપ્પણીને રેકોર્ડમાંથી હટાવવાની સુચના આપી હતી. અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન મોદીના જવાબ પહેલા આ પ્રકારનું નિવેદન આવ્યું હતું. PM મોદી આજે સાંજે 4 વાગે જવાબ આપે તેવી શક્યતા છે.


શું કહ્યું અધીર રંજન ચૌધરીએ?

 

અધીર રંજન ચૌધરીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું, "જબ ધૃતરાષ્ટ્ર અંધે થે, તબ દ્રૌપદી કા વસ્ત્રાહરન હુઆ થા, આજ ભી રાજા આંધે બેઠે હૈ... મણિપુર ઔર હસ્તિનાપુર મેં કોઈ ફરક નહીં હૈ." તેમની ટીપ્પણી બાદ બીજેપીના કેટલાક સાંસદોએ લોકસભામાં વિરોધ કર્યો અને તેમની ટિપ્પણી પર તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.


અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી


ચૌધરીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે "અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી છે, અવિશ્વાસ પ્રસ્તાવની તાકાત આજે વડાપ્રધાનને સંસદમાં લાવી છે. "અમારામાંથી કોઈએ આ અવિશ્વાસ પ્રસ્તાવ વિશે વિચાર્યું ન હતું. અમે માત્ર માંગ કરી રહ્યા હતા કે પીએમ મોદી સંસદમાં આવે અને મણિપુર મુદ્દા પર બોલે. અમે ભાજપના કોઈ સભ્યને સંસદમાં આવવાની માંગ કરી ન હતી, અમે ફક્ત અમારા પ્રધાનમંત્રી સંસદમાં બોલે તેવી માંગ કરી રહ્યા હતા. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવની શક્તિ જુઓ, અમે પીએમ મોદીને ખેંચીને ગૃહમાં લાવ્યા. સંસદીય પરંપરાઓની આ તાકાત છે. અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી મણિપુર પર ચર્ચામાં ભાગ લે. પરંતુ ખબર નહીં કેમ તેમણે ગૃહમાં નહીં આવવાની પ્રતિજ્ઞા લીધી છે. અમે અગાઉ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું વિચાર્યું ન હતું, પરંતુ અમારે મજબૂરીમાં આવું કરવું પડ્યું."



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.