પશ્ચિમ બંગાળમાં વધ્યો એડેનોવાયરસનો કહેર, 9 દિવસની અંદર થયા આટલા બાળકોના મોત! જાણો શું છે વાયરસના લક્ષણ


  • Published By :
  • Published Date : 2023-03-06 10:28:53

થોડા વર્ષે આવેલા કોરોના વાયરસે  હાહાકાર મચાવ્યો હતો. અનેક પરિવારે પોતાના પરિવારજનો ગુમાવ્યા હતા. ત્યારે પશ્ચિમ બંગાળમાં દિવસેને દિવસે એડેનોવાયરસનો ખતરો વધી રહ્યો છે. આ વાયરસને કારણે નવ દિવસમાં 40 બાળકોના મોત થઈ ગયા છે. વધી રહેલા વાયરસના સંકટને જોતા મમતાબેનર્જી સરકારે એડેનોવાયરસથી કેવી રીતે રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકારની તૈયારીઓને લઈને જાણકારી આપી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર રવિવારે પણ 6 જેટલા બાળકોના મોત થયા છે. 


શ્વાસ લેવામાં બાળકોને પડતી હતી મુશ્કેલી  

આ વાયરસને કારણે બાળકોના જીવને જોખમ વધારે રહેલું છે. આ વાયરસની ઝપેટમાં બાળકો જલ્દી આવી રહ્યા છે. મૃત્યુ પામેલા બાળકોની વાત કરીએ તો બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, ઉપરાંત તાવ, ઉધરસ જેવા સામાન્ય લક્ષણ જોવા મળ્યા હતા. સારવાર પણ બાળકોને આપવામાં આવી હતી પરંતુ બાળકો પર સારવારની અસર ન થઈ હતી. આ વાયરસ આંતરડાના ચેપનું કારણ બને છે. વાયરસ ત્વચાના સંપર્ક દ્વારા, ઉધરસ અને છીંક દ્વારા ફેલાઈ રહ્યો છે. 


નાના બાળકો વાયરસથી થઈ રહ્યા છે સંક્રમિત

આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે બાળકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે જેમની ઉંમર બે વર્ષ કરતા નાની છે. તે ઉપરાંત દસ વર્ષના બાળકો પર આ ચેપી રોગનો શિકાર બની રહ્યા છે. વધતા સંક્રમણને જોતા રાજ્યના આરોગ્ય વિભાગે પહેલેથી જ ડોક્ટરો માટે એડવાઈઝરી જાહેર કરી દીધી છે. આ વાયરસને કારણે અનેક બાળકોના મોત થયા છે. માત્ર નવ દિવસમાં 40 બાળકોના મોત આ વાયરસને કારણે થતાં ચિંતા વ્યાપી ઉઠી છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.