ભાજપના સ્થાપના દિવસ પર વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને કર્યા સંબોધિત, હનુમાન દાદાનું ઉદાહરણ આપી કાર્યકર્તાઓને કર્યા પ્રોત્સાહિત


  • Published By :
  • Published Date : 2023-04-06 16:07:06

ભારતીય જનતા પાર્ટીએ 44મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના મુખ્ય કાર્યાલય પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું કે હનુમાનજી બધું જ કરી શકે છે, દરેક માટે કરે છે. પરંતુ પોતાના માટે કંઈ કરતા નથી. ભાજપની પ્રેરણા છે. જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ કઠોર બની હતા જ્યારે ભ્રષ્ટાચાર,પરિવારવાદ, કાયદો અને વ્યવસ્થાની વાત આવે છે, ત્યારે ભાજપ મા ભારતીને મુક્ત કરવા માટે સમાન રીતે સંકલ્પબદ્ધ છે.

 


જે.પી.નડ્ડાએ પીએમ મોદીના કર્યા વખાણ!

ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરી. પોતાના સંબોધનમાં તેમણે હનુમાન જયંતીને લઈ વાત કરી હતી. ઉપરાંત ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોની વાતો પણ કરી હતી. પીએમ મોદીએ સંબોધન કર્યું તે પહેલા જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવમાં પાર્ટીને કચ્છથી પૂર્વોત્તર સુધી અને કાશ્મીરથી કેરળ સુધી છાપ છોડ્યાની વાત કરી હતી. ઉપરાંત તેમણે કહ્યું હતું કે  હજી સુધી જે મહાન લોકોએ પાર્ટીને સંભાળી છે, સમૃદ્ધ અને સશક્ત કર્યું છે. એ કાર્યકર્તાઓ અને નેતાઓના ચરણોમાં હું વંદન કરું છું. 


પીએમ મોદીએ કાર્યકર્તાઓને આપી આ સલાહ!

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું કે ભાજપને 21મી સદીના ભવિષ્યનો પક્ષ બનાવવો પડશે. વધુ પડતા આત્મવિશ્વાસનો શિકાર ન બનો. લોકો પહેલેથી જ કહી રહ્યા છે 2024માં ભાજપને કોઈ હરાવી શકશે નહી. આ વાત સાચી છે, પરંતુ ભાજપના કાર્યકર તરીકે આપણે દરેક નાગરિકના દિલ જીતવાના છે. દરેક ચૂંટણી એ જ ખંતથી લડવાની હોય છે. 


હનુમાન દાદાને પોતાના સંબોધનમાં પીએમે કર્યા યાદ 

પોતાના સંબોધન દરમિયાન અનેક વખત પીએમ મોદીએ હનુમાન દાદાનું ઉદાહરણ લઈ અનેક વાતો કરી હતી. તેમણે કહ્યું કે હનુમાનજીમાં અસીમ શક્તિ છ, તેઓ એ શક્તિનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે તેમની આત્મશંકા સમાપ્ત થઈ જાય. 2014 પહેલાં ભારતમાં પણ આવી જ સ્થિતિ હતી. વાતો વાતોમાં તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે હનુમાનજી બધું જ કરી શકે છે. દરેક માટે કરે છે, પરંતુ પોતાના માટે કંઈ કરતા નથી. આ ભાજપની પ્રેરણા છે. જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ કઠોર બની ગયા. જ્યારે ભ્રષ્ટાચાર, પરિવારવાદ, કાયદો  અને વ્યવસ્થાની વાત આવે છે, ત્યારે ભાજપ મા ભારતીને મુક્ત કરવા માટે સમાન સંકલ્પબદ્ધ છે.          

         



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!