બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન, પીએમએ પાણી પૂરવઠા પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો


  • Published By :
  • Published Date : 2022-10-31 18:19:51

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે રોડ શો તેમજ સભાને સંબોધી હતી. જ્યારે બીજા દિવસે તેમણે કેવડિયા ખાતે આયોજીત એકતા પરેડમાં ભાગ લીધો હતો. જે બાદ બનાસકાંઠામાં જનસભા પણ સંબોધી હતી. પીએમ મોદીએ પાણી પૂરવઠા પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8034 કરોડના વિવિધ કાર્યોનું ખાતમૂહુર્ત કર્યું હતું.

રાજસ્થાનના મુખ્યમંત્રી પણ પીએમએ કર્યા પ્રહાર

મોરબીની ઘટના યાદ કરી વડાપ્રધાને કહ્યું કે મોરબી દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના સ્વજનો પ્રત્યે મારી સંવેદના છે. કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને તમામ રીતે મદદ કરી રહી છે. ગુજરાતના સીએમ પણ રાતથી મોરબીમાં છે. પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસ પર તેમણે નિશાન સાધ્યું હતું. નામ લીધા વગર અશોક ગેહલોત પર નિશાન સાધતા તેમણે કહ્યું કે બનાસકાંઠાની જનતા માટે જ્યારે સુજલામ સુફલામ યોજના અમે લાવ્યા ત્યારે રાજસ્થાનના તે વખતના મુખ્યમંત્રી અને જે અત્યારે પણ મુખ્યમંત્રી છે તેમણે આ સુજલામ સુફલામ યોજનાનો વિરોધ કર્યો હતો. હું માન્યો નહીં અને બનાસકાંઠાને પાણીની જરૂર છે તેના માટે આ યોજના લાવ્યા.           

મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો - વડાપ્રધાન 

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું દ્વિધામાં હતો, બનાસકાંઠામાં પાણીનું મહત્વ કેટલું છે, તે હું જાણું છું કે નહીં, મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો. થરાદ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત એના માટે પાણી, 8000 કરોડ રૂપિયાની યોજનાઓ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત 6 જિલ્લાના 1000 કરતાં વધારે ગામોને, 2 લાખ હેક્ટર કરતાં વધારે જમીનને સિંચાઈની સુવિધા મળશે. 

ટપક સિંચાઈ અને સુક્ષ્મ સિંચાઈએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું - પીએમ

પોતાના પર થતા પ્રહારોનો પ્રતિઉત્તરમાં તેમણે કહ્યું કે આ ચા વેચવાવાળો ખેતીનું સમજાવે એવું કહેતા, પણ હું ટપક સિંચાઈ માટે પાછળ પડેલો. વડીલોએ મારી વાત માની, અને આજે બનાસકાંઠામાં ટપક સિંચાઈ અને સુક્ષ્મ સિંચાઈએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. બનાસકાંઠાની ચાર લાખ હેક્ટર જમીન ટપક સિંચાઈથી સુક્ષ્મ સિંચાઈ છે. જેના કારણે પાણીના સ્તર નીચે જતાં અટકાવ્યા. ભવિષ્યના બાળકોની જિંદગી બચાવવાનું કામ કર્યું છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.