હાઈકોર્ટે જામીન અરજી ફગાવતા વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 10:57:46

વિપુલ ચૌધરીની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાઈકોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજીને ફગાવી નાખી છે. હાઈકોર્ટે આ મામલે અવલોકન આપતા કહ્યું કે આ ગંભીર ગુન્હો છે. રાજનૈતિક કિન્નાખોરીમાં તેમની ઉપર કેસ કરવામાં આવ્યો છે. તેમ કહી તેમણે જામીન માટે અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.  


હાઈકોર્ટે ફગાવી જામીન માટેની અરજી 

એક તરફ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મુક્ત કરવા અર્બૂદા સેના જેલ ભરો આંદોલન કરી રહી છે. ગાંધીનગર ખાતે તેવો આંદોલન કરી રહ્યા છે. આંદોલન કરનાર તમામ લોકોની પોલીસે અટકાયત કરી દીધી હતી. વિપુલ ચૌધરીએ નિયમિત જામીન માટે અરજી કરી હતી. ત્યારે તેમણે રાજકીય કિન્નાખોરીમાં પોતાની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે તેવું કહી તેમણે જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેમની અરજીનો અસ્વીકાર કરી ફજાવી નાખી છે.         


આંદોલન કરી રહેલી અર્બુદા સેના વધારી શકે છે સરકારની મુશ્કેલી

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈ સરકાર ચૂંટણીની તૈયારીઓમાં લાગી છે. ત્યારે વિપુલ ચૌધરીના સમર્થનમાં આવી અર્બુદા સેના વાળા આંદોલન કરી રહ્યા હતા. જેલ ભરો આંદોલન કરી તેઓ વિપુલ ચૌધરીને જેલમાંથી મુક્ત કરવા મેદાનમાં ઉતર્યા છે. આ બધા વચ્ચે હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.  100થી વધુ લોકોની અટકાયત કરી લેવામાં આવે છે. પોતાની માગ સાથે અર્બુદા સેના સત્યાગ્રહ છાવણીનો ઘેરાવો કરી રહી છે. 30 સપ્ટેમ્બર સુધી તેઓ ધરણા કરવાના છે. ત્યારે આ વાતને અર્બુદા સેના વાળા કેવી રીતે લે છે તે જોવું રહ્યું. ચૂંટણી સમયે આવા આંદોલન થાય છે તો તે સરકારીની ચિંતા વધારવાનું કામ કરે છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.