વિશ્વાસ જીતવા માટે અદાણી 8 હજાર કરોડનાં દેવાની ચૂકવણી કરશે, ગ્રુપે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-06 18:26:17

રોકાણકારોનો ભરોસો વધારવા માટે અને રોકાણકારોની ચિંતા દુર કરવા માટે અદાણી ગ્રુપ એડનાન્સમાં 8 હજાર કરોડ રૂપિયાનું દેવું ચૂકવી દેવાનો પ્લાન કરી રહી છે. કંપની આગામી 30થી 45 દિવસોમાં દેવું ચૂકવી દેવાની તૈયારી કરી રહી છે. કંપની ગ્લોબલ બેંકો જેવા ક્રેડિટ સુઈસ, જેપી મોર્ગન, જે એમ ફાયનાન્સિયલ સહિતના કેટલાક મ્યુચ્યુઅલ ફંડ કંપની પાસેથી લોન લીધી છે. અદાણી આ કંપનીઓની લોનને પાછી આપવાની રજુઆત કરી રહી છે. 


ગ્રુપ એકસ્ટ્રા શેર રિલિઝ કરશે


શેર બજારમાં અદાણી ગ્રુપના શેરોનું ધોવાણ હજુ પણ ચાલું જ છે. આ દરમિયાન અદાણીએ મોટી અને મહત્વની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદન જાહેર  કરીને કહ્યું છે કે પોતાની લિસ્ટેડ કંપનીઓના 111 કરોડ રૂપિયા ગીરો પડ્યા છે. તે બધા જ ગિરો શેર સપ્ટેમ્બર 2024 પહેલા જ તે છોડાવી લેશે. આ માટે ગ્રુપ એકસ્ટ્રા શેર સિક્યુરિટીઝ પણ ઓફર કરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગ્રુપ પર 1.8 અબજ ડોલરનું દેવું છે. ગ્રુપ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના 168.27 મિલિયનના શેર લોન્ચ કરવામાં આવશે જે કંપનીમાં પ્રમોટર્સની કુલ હોલ્ડિંગના 12 ટકા છે. જ્યારે અદાણી ગ્રીનના 27.56 મિલિયનના શેર રિલિઝ કરવામાં આવશે તે પ્રમોટર હોલ્ડિંગના 3 ટકા છે. 


1.1 અબજ ડોલરનું પ્રિ-પેમેન્ટ કરશે


કંપનીના નિવેદનમાં કહ્યું છે કે અદાણી ગ્રુપના પ્રમોટરે સપ્ટેમ્બર 2024માં મેચ્યોરિટીથી પહેલા જ ગિરો મુકેલા શેરોને લોન્ચ કરવા માટે 1.1 બિલિયન ડોલરનું પ્રિ-પેમેન્ટ કરશે. અદાણી ટ્રાન્સમિશનના 11.77 મિલિયન શેરો જારી કરવામાં આવશે કે જે કંપનીના પ્રમોટર હોલ્ડિંગના 1.4 ટકા છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પ્રમોટર્સ દ્વારા પોતાના દેવાની ચૂકવણીને લઈ નાણા સંસ્થાઓને ભરોસો આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!