વિશ્વાસ જીતવા માટે અદાણી 8 હજાર કરોડનાં દેવાની ચૂકવણી કરશે, ગ્રુપે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-06 18:26:17

રોકાણકારોનો ભરોસો વધારવા માટે અને રોકાણકારોની ચિંતા દુર કરવા માટે અદાણી ગ્રુપ એડનાન્સમાં 8 હજાર કરોડ રૂપિયાનું દેવું ચૂકવી દેવાનો પ્લાન કરી રહી છે. કંપની આગામી 30થી 45 દિવસોમાં દેવું ચૂકવી દેવાની તૈયારી કરી રહી છે. કંપની ગ્લોબલ બેંકો જેવા ક્રેડિટ સુઈસ, જેપી મોર્ગન, જે એમ ફાયનાન્સિયલ સહિતના કેટલાક મ્યુચ્યુઅલ ફંડ કંપની પાસેથી લોન લીધી છે. અદાણી આ કંપનીઓની લોનને પાછી આપવાની રજુઆત કરી રહી છે. 


ગ્રુપ એકસ્ટ્રા શેર રિલિઝ કરશે


શેર બજારમાં અદાણી ગ્રુપના શેરોનું ધોવાણ હજુ પણ ચાલું જ છે. આ દરમિયાન અદાણીએ મોટી અને મહત્વની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદન જાહેર  કરીને કહ્યું છે કે પોતાની લિસ્ટેડ કંપનીઓના 111 કરોડ રૂપિયા ગીરો પડ્યા છે. તે બધા જ ગિરો શેર સપ્ટેમ્બર 2024 પહેલા જ તે છોડાવી લેશે. આ માટે ગ્રુપ એકસ્ટ્રા શેર સિક્યુરિટીઝ પણ ઓફર કરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગ્રુપ પર 1.8 અબજ ડોલરનું દેવું છે. ગ્રુપ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના 168.27 મિલિયનના શેર લોન્ચ કરવામાં આવશે જે કંપનીમાં પ્રમોટર્સની કુલ હોલ્ડિંગના 12 ટકા છે. જ્યારે અદાણી ગ્રીનના 27.56 મિલિયનના શેર રિલિઝ કરવામાં આવશે તે પ્રમોટર હોલ્ડિંગના 3 ટકા છે. 


1.1 અબજ ડોલરનું પ્રિ-પેમેન્ટ કરશે


કંપનીના નિવેદનમાં કહ્યું છે કે અદાણી ગ્રુપના પ્રમોટરે સપ્ટેમ્બર 2024માં મેચ્યોરિટીથી પહેલા જ ગિરો મુકેલા શેરોને લોન્ચ કરવા માટે 1.1 બિલિયન ડોલરનું પ્રિ-પેમેન્ટ કરશે. અદાણી ટ્રાન્સમિશનના 11.77 મિલિયન શેરો જારી કરવામાં આવશે કે જે કંપનીના પ્રમોટર હોલ્ડિંગના 1.4 ટકા છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પ્રમોટર્સ દ્વારા પોતાના દેવાની ચૂકવણીને લઈ નાણા સંસ્થાઓને ભરોસો આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.