અદાણી-હિંડનબર્ગ મામલે સેબીએ સુપ્રીમ કોર્ટમાં આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-02-14 16:35:31

શેર બજાર નિયામક સંસ્થા સેબીએ સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ મામલે જણાવ્યું કે તે આ મામલે નિયમોનું કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન થયું છે કેમ તેને લઈ તપાસ કરી રહી છે. સેબીએ વધુમાં કહ્યું કે અદાણી ગ્રુપ સામે અમેરિકાના શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જાહેર થયો તે બાદ તરત જ તેણે શેર માર્કેટની ગતિવિધીઓની તપાસ શરૂ કરી હતી.


સેબીએ શું કહ્યું?


સેબીએ સર્વોચ્ચ અદાલતને તે પણ કહ્યું કે તેની પાસે બિઝનેશના સતત વિકાસ માટે અને શેર બજારમાં અસ્થિરતાનો સામનો કરવા માટે મજબુત માળખું છે. સેબીએ દાવો કર્યો કે વિકસીત સિક્યોરિટીઝ માર્કેટ દુનિયાભરમાં શોર્ટ સેલિંગને કાનુની મૂડીરોકાણ પ્રવૃતિ માને છે.  


સુપ્રીમ કોર્ટે માગ્યો હતો જવાબ


સેબીએ અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડા બાદ દાખલ થયેલી અરજીઓ અંગે સુનાવણી કરી રહેલા મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચને જણાવ્યું કે સેબી નિયમો, શોર્ટ સેલિંગના નિયમોના ઉલ્લંઘનની તપાસ માટે હિંડનબર્ગના આરોપો અને રિપોર્ટ જાહેર થયા પહેલા અને ત્યાર બાદથી બજારની પ્રવૃતિ એમ બંનેની તપાસ કરી રહી છે. 


અદાણી ગ્રૂપના શેરથી માર્કેટ પર અસર નહીં


સેબીએ જણાવ્યું કે અદાણી ગ્રૂપના શેરમાં તાજેતરના તીવ્ર ઘટાડાથી શેરબજાર પર બહુ અસર થઈ નથી. સેબીએ જણાવ્યું હતું કે, “ભારતીય બજારમાં અગાઉ પણ ખરાબ વોલેટિલિટી જોવા મળી છે, ખાસ કરીને કોરોના રોગચાળાના સમયમાં, જ્યારે નિફ્ટી 2 માર્ચ, 2020 અને માર્ચ 19, 2020 (13 ટ્રેડિંગ દિવસો) વચ્ચે લગભગ 26 ટકા ઘટ્યો હતો. બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને, SEBIએ 20 માર્ચ, 2020 ના રોજ તેની વર્તમાન બજાર પદ્ધતિની સમીક્ષા કરી હતી અને કેટલાક ફેરફારો કર્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.