સીલબંધ કવરમાં સુચનો સ્વિકારવાનો સુપ્રીમનો ઈન્કાર, "પક્ષપાતનો આરોપ નથી ઈચ્છતા"


  • Published By :
  • Published Date : 2023-02-17 19:42:06

અમેરિકાના જાણીતા શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગની એક રિપોર્ટથી અદાણી ગ્રુપના શેર ધરાશાઈ થતાં રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીઓ પણ દાખલ કરાવામાં આવી છે. આજે સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ કેસ કેસની સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલે સમિતિના સભ્યોના નામના સૂચન અંગે ન્યાયાધીશોને સીલબંધ કવરસોંપ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટે કેન્દ્રના સૂચનને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે અમે તમારી તરફથી સીલબંધ કવર સ્વીકારીશું નહીં. કારણ કે અમે સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગીએ છીએ. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પોતે જ સમિતિનું નામ સૂચવીશું. 


રોકાણકારોનું હિત સર્વોપરી


આ કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટના CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું કે તે સીલબંધ કવરમાં કેન્દ્રના સૂચનને સ્વીકારશે નહીં. આ કેસમાં, SCએ 10 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને અદાણી જૂથના સ્ટોક રૂટ અંગે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું જરૂરી છે. 


સમિતિમાં સુપ્રીમના સિટિંગ જજ નહીં


સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બેચે તેમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના સીટિંગ જજને સમિતિનો ભાગ બનાવવામાં આવશે નહીં. SCએ કહ્યું કે અમે સમિતિની નિમણૂકમાં સંપૂર્ણ પારદર્શિતા ઈચ્છીએ છીએ. એ પણ કહ્યું કે અમે રોકાણકારો સાથે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. 


સુપ્રીમ કોર્ટમાં ચાર PIL દાખલ


વકીલ એમએલ શર્મા અને વિશાલ તિવારી, કોંગ્રેસના નેતા જયા ઠાકુર અને કાર્યકર્તા મુકેશ કુમારે અદાણી-હિંડનબર્ગ મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં ચારPIL દાખલ કરી છે. સુનાવણી દરમિયાન એમએલ શર્માએ કહ્યું કે હું કોઈ કંપની સાથે જોડાયેલો નથી, પણ હું શોર્ટ સેલિંગથી રોકાણકારોને થતાં આર્થિક નુકસાનથી ચિંતિત છું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.