અદાણી ગ્રુપને મોટી રાહત, સુપ્રીમ કોર્ટની પેનલે આપી ક્લીન ચીટ, શેરોમાં આવી તેજી


  • Published By :
  • Published Date : 2023-05-19 17:03:50

અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટની નિષ્ણાત સમિતિનો રિપોર્ટ સાર્વજનિક થઈ ગયો છે. તે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક દૃષ્ટિએ નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું નથી. હજુ સુધી આ રિપોર્ટ સાર્વજનિક થવા અંગે નિષ્ણાત સમિતિ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ આ એક ખુલાસાને ગૌતમ અદાણી માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની પેનલે અદાણી ગ્રુપને આપેલી ક્લીન ચીટ બાદ ગ્રુપની કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી છે.


હિંડનબર્ગ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે 24 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રુપને લઈને એક રિપોર્ટ જારી કર્યો હતો. રિપોર્ટના નિષ્કર્ષમાં 88 પ્રશ્નોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે. આ એક રિપોર્ટ જાહેર થયા બાદ અદાણીના શેરમાં મોટો ઘટાડો નોંઘાયો અને થોડા દિવસોમાં જ ગૌતમ અદાણીને કરોડોનું નુકસાન થયું હતું. મોટી વાત એ છે કે આ મુદ્દાએ વિપક્ષી પાર્ટીઓનું પણ ધ્યાન આકર્ષિત કર્યું અને તેને લઈને બહુ જલ્દી રાજનીતિ શરૂ થઈ હતી.


આ કેસ સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો?


અમેરિકા સ્થિત ફર્મ હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. PILમાં હિંડનબર્ગના સ્થાપક નાથન એન્ડરસન સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. તે પછી જ સુપ્રીમ કોર્ટ દ્વારા એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ હવે જણાવે છે કે પ્રથમ દૃષ્ટિએ કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.