અદાણી કેસ: સુપ્રીમે SEBIને 3 મહિનાનો આપ્યો સમય, 14 ઓગસ્ટ સુધી રિપોર્ટ સોંપવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-17 16:50:43

અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગ અને અદાણી કેસની તપાસની માગ કરનારી અરજી પર આજે ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ કેસની તપાસ માટે વધુ સમય માગ્યો છે. સુપ્રીમ કોર્ટે સેબીને 14 ઓગસ્ટ સુધી એટલે આગામી ત્રણ મહિના સુધીમાં રિપોર્ટ આપવાનું કહ્યું છે. 


સેબીએ માંગ્યો હતો 6 મહિનાનો સમય


અત્રે ઉલ્લેખનિય છે કે આ અદાણી કેસની તપાસનો રિપોર્ટ સોંપવા માટે સેબીએ કોર્ટ સમક્ષ 6 મહિનાનો વધુ સમય માંગ્યો હતો. સેબીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે આ કેસ ખુબ જ જટિલ છે તેથી તેને વધુ સમય આપવામાં આવે. જો કે કોર્ટે 6 મહિનાના બદલે માત્ર ત્રણ મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે ત્રણ મહિનામાં જ વિસ્તૃત તપાસ કરીને રિપોર્ટ સોંપે.  


સેબીએ સુપ્રીમમાં શું કહ્યું?


સેબીએ સોમવારે કહ્યું કે આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટમાં કહ્યું કે અદાણી ગ્રૂપની કોઈ પણ લિસ્ટેડ કંપની આ 51 કંપનીઓનો હિસ્સો નહોતી. કોર્ટે  તેણે કહ્યું કે વર્ષ 2016થી ચાલી રહેલી તેમની તપાસમાં અદાણીની કંપનીઓનો સમાવેશ થતો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. 88 પાનાના આ રિપોર્ટમાં હિંડનબર્ગે અદાણી પર એકાઉન્ટમાં હેરફેર, શેરોનું ઓવર પ્રાઈસિંગ, સહિતના અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.