Adani Groupના તમામ શેર ધરાશાયી, OCCRPના રિપોર્ટ અંગે અદાણીએ આપેલા ખુલાસા પણ કામ ન આવ્યા


  • Published By :
  • Published Date : 2023-08-31 17:06:25

અદાણી ગ્રૂપની મુસીબત ઓછી થવાનું થવાનું નામ નથી લઈ રહી. હિંડનબર્ગ બાદ હવે OCCRP નામના એક ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ પ્લેટફોર્મએ  Adani Groupનાં Sharesમાં વર્ષોથી થઈ રહેલા મોટા ખેલનો પર્દાફાશ કર્યો છે. કેટલાક નાણાકિય ડોક્યુમેન્ટના આધારે કરવામાં આવેલા દાવા બાદ મીડિયામાં હોબાળો મચી ગયો છે. આ દરમિયાન આજે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં 4 ટકા સુધી તુટ્યા છે. આજે અદાણીના શેરોમાં ધોવાણ થવાથી રોકાણકારોને જબરદસ્ત આર્થિક નુકસાન થયું છે.   


અદાણી ગ્રીન 4.43 ટકા ઘટ્યો 


BSE પર અદાણી ગ્રીન એનર્જીનો શેર 4.43 ટકા ઘટીને રૂ. 927.65 થયો છે અને તેનું માર્કેટ કેપ રૂ. 1.47 લાખ કરોડ છે.


આ કંપનીઓના શેરમાં પણ ઘટાડો થયો  


અદાણી પાવરનો શેર 3.82 ટકા ઘટીને રૂ. 315.85 થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 3.56 ટકા ઘટીને રૂ. 2,424 અને અદાણી એનર્જી સોલ્યુશનનો શેર 3.18 ટકા ઘટીને રૂ. 814.95 થયો હતો.


આ કંપનીના શેર 2 થી 3 ટકા ઘટ્યા 


BSE પર, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન 2.75 ટકા ઘટીને રૂ. 796.50, અદાણી ટોટલ ગેસ 2.74 ટકા ઘટીને રૂ. 634.60, NDTV 2.69 ટકા ઘટીને રૂ. 213.30 અને અદાણી વિલ્મરનો શેર 1.83 ટકા ઘટીને રૂ. 23.20 થયો હતો. ACCનો શેર 3.15 ટકા ઘટીને રૂ. 1,937.10 અને અંબુજા સિમેન્ટનો શેર 2.84 ટકા ઘટીને રૂ. 431.60 થયો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.