અદાણી ગ્રૂપનું દેવું ભારતીય અર્થતંત્રના 1 ટકા જેટલું: નિક્કી એનાલિસીસ


  • Published By :
  • Published Date : 2023-02-09 20:30:53

જાપાનની જાણીતી નિક્કી એનાલિસીસે અદાણી ગ્રૂપના દેવાને લઈ મોટો ખુલાસો કર્યો છે. નિક્કી એનાલિસીસના રિપોર્ટ મુજબ અદાણી ગ્રૂપનું દેવું ભારતીય અર્થતંત્રના ઓછામાં ઓછા 1% જેટલું છે. આ રિપોર્ટ એકાઉન્ટિંગ છેતરપિંડીના આરોપો વચ્ચે જૂથની નાણાકીય મુશ્કેલીઓના ધોરણને રેખાંકિત કરે છે.



10 કંપનીઓનું દેવું 3.39 ટ્રિલિયન રૂપિયા 


નિક્કીએ ક્વિક ફેક્ટસેટ (QUICK FactSet)ના ડેટાનો ઉપયોગ કરીને આ ગણતરી કરી હતી. નિક્કીની ગણતરી મુજબ, અદાણીની લિસ્ટેડ ગ્રૂપ કંપનીઓમાંથી 10 કંપનીઓનું દેવું 3.39 ટ્રિલિયન રૂપિયા ($41.1 બિલિયન) સુધી છે. આ કંપનીઓમાં ગયા વર્ષે ખરીદેલી ત્રણ કંપનીઓ ACC,અંબુજા સિમેન્ટ્સ અને NDTVનો સમાવેશ થાય છે. જ્યારે અદાણી દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અને ક્વિક ફેક્ટસેટ દ્વારા સંકલિત કરાયેલા આંકડાઓ વચ્ચે વિસંગતતાઓ હતી, જો  કે નિક્કીએ બીજા આંકડાનો ઉપયોગ કર્યો હતો.


10 કંપનીઓનો કુલ ઇક્વિટી રેશિયો 25%


ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ રિપોર્ટ આપ્યો છે કે ઓક્ટોબરના અંતે ભારતની GDPનો દર 273 ટ્રિલિયન રૂપિયા હતો. જ્યારે અદાણીનું દેવું અર્થતંત્રની ટકાવારીના લગભગ 1.2% જેટલું થાય છે. અદાણીની 10 ગ્રૂપ કંપનીઓ કુલ 4.8 ટ્રિલિયન રૂપિયાથી વધુ સંપત્તિ ધરાવે છે, પરંતુ રોકાણકારોની મોટી ચિંતા અદાણી ગ્રુપના દેવાને લઈને લઈને છે.અદાણી ગ્રુપમાં ઘણી બધી ખાનગી કંપનીઓનો સમાવેશ થાય છે, એટલે કે તેના કુલ દેવાનું ભારણ વધારે હોઈ શકે છે. અદાણી જૂથની 10 કંપનીઓનો સામૂહિક ઇક્વિટી રેશિયો 25% હતો. તેમાંથી એક, અદાણી ગ્રીન એનર્જીનો માર્ચ 2022 સુધીમાં માત્ર 2%નો ઇક્વિટી રેશિયો હતો.


અદાણી સામે MSCI એક્શન મોડમાં


ગ્લોબલ ઇન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સ (MSCI)એ અદાણીને ઝટકો આપ્યો છે. MSCIએ તેના નિવેદનમાં કહ્યું કે તે MSCIના ફ્રી ફ્લોટની સમીક્ષા કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રોકાણકારોના અદાણી ગ્રુપની કેટલીક સિક્યોરિટીઝને હવે ફ્રી ફ્લોટ તરીકે નિયુક્ત કરવામાં આવશે નહીં. આ સમાચાર આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરની તેજી પર બ્રેક લાગી હતી. ગુરુવારે બજાર ખુલતાની સાથે જ અદાણીના 10માંથી 9 શેર લાલ નિશાન સાથે ખુલ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 15 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.