અદાણીને લોન આપનારી બેંકો પર તવાઈ, RBIએ ધીરાણની વિગતવાર જાણકારી માગી


  • Published By :
  • Published Date : 2023-02-02 14:00:20

અદાણી ગ્રુપના આજકાલ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. હિંડેનબર્ગ રિપોર્ટ જાહેર થયો ત્યારથી અદાણીની તમામ કંપનીઓના શેરોમાં જોરદાર કડાકો બોલાયો છે. શેરબજારમાં અદાણી ગ્રૃપના શેરોનું જે રીતે ધોવાણ થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ છે. જો કે હવે અદાણીને લોન આપનારી બેંકો પર પણ તવાઈ બોલાઈ છે. રિઝર્વ બેંકે અદાણી ગ્રુપને ધીરાણ આપનારી બેંકોને લોનની વિગત અંગે જાણકારી માગી છે.  


સીટી ગ્રુપ અને ક્રેડિટ સુઈઝે  આપ્યો ઝટકો


સીટી ગ્રુપની વેલ્થ યુનિટે અદાણી ગ્રુપને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાની આ મોટી બેંકે ગૌતમ અદાણીએ ગ્રુપની કંપનીઓની સિક્યુરીટીઝને લેવાનું બંધ કરી દીધું છે. સીટી ગ્રુપે એક ઈન્ટરનલ મેમામાં કહ્યું વર્તમાન સમયમાં અમે અદાણી દ્વારા લોન્ચ કરવામાં આવેલી સિક્યોરિટીઝની કિંમતમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ગ્રુપની ફાયનાન્સિયલ હેલ્થ સાથે જોડાયેલી નેગેટીવ બાબતો બાદ સ્ટોક અને બ્રાંડની કિંમતોમાં પણ ઘટાડો આવ્યો છે. સીટી બેંકની જેમ જ ક્રેડિટ સુઈઝે અદાણી ગ્રુપે ઝટકો આપ્યો છે. ક્રેડિટ સુઈઝે પણ હિડેનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓની સિક્યુરિટીને લેનાનું બંધ કરી દીધું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.