હિંડનબર્ગ રિપોર્ટે આપ્યો ઝટકો, અદાણી ગ્રુપની કંપનીઓમાં આજે પણ કડાકો બોલાયો


  • Published By :
  • Published Date : 2023-02-01 19:42:10

નાણામંત્રી નિર્મલા સીતારમણના ભવ્ય બજેટને શેરબજારે આવકાર્યું છે, ત્યારે ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓમાં આજે ફરી ભારે વેચવાલી જોવા મળી હતી. ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણીની તમામ કંપનીઓનું શેરબજારમાં જોરદાર ધોવાણ થયું છે. 


અદાણીની કંઈ કંપનીના શેર તુટ્યા? 


જો ગૌતમ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ વિશે વાત કરીએ તો તેના શેરમાં લગભગ 28 ટકાની નબળાઈ જોવા મળી હતી અને તે 838 ઘટીને રૂ. 2135 જેટલો રહ્યો હતો.


અદાણી જૂથની અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં 117ની નબળાઈ જોવા મળી હતી અને તે લગભગ 19 ટકાના ઘટાડા સાથે 495ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.


અદાણી વિલ્મરમાં 23 રૂપિયાના ઘટાડા સાથે 5 ટકા તુટીને રૂ.443, અંબુજા સિમેન્ટ રૂ 67  કડાકાના કડાકા સાથે 16.72 ટકા તુટીને 334 રૂપિયાએ બંધ રહ્યો હતો.


બુધવારના ટ્રેડિંગમાં, ગૌતમ અદાણી ગ્રૂપના અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના શેર લગભગ 2.85 ટકાની નબળાઈ નોંધાવી રહ્યા હતા અને 50 ઘટીને રૂ. 1,723 પર ટ્રેડ કરી રહ્યા હતા.


અદાણી પાવરના શેરમાં પાંચ ટકાની નબળાઈ હતી અને તે રૂ.11 ઘટીને રૂ.212 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 


અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેરમાં 5% થી વધુનો ઘટાડો નોંધાયો છે અને તે રૂ. 63 ના ઘટાડા સાથે રૂ. 1160 પર ટ્રેડ કરી રહ્યો છે. અદાણી ટોટલ ગેસના શેરમાં 10 ટકાની નબળાઈ હતી અને તે રૂ.210 ઘટીને રૂ.1893 પર ટ્રેડ થઈ રહ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.